રોઝાનેર થી પાવાગઢ યાત્રાએ નીકળેલા પગપાળા યાત્રાળુઓનું સંખેડામાં સ્વાગત કરાયું

રોઝાનેર થી પાવાગઢની પગપાળા યાત્રાએ નીકળેલા યુવા શક્તિ સેના મંડળના સભ્યોનો સંઘ આજે સવારે સંખેડા પહોંચ્યો હતો.

સંખેડામાં ટૂંકા વિરામ બાદ, સંઘે “જય માં મહાકાળીના નારા સાથે પાવાગઢ તરફ આગળ પ્રયાણ કર્યું. સંખેડાના ગ્રામજનોએ યાત્રાળુઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.