પાકિસ્તાન ટૂંક સમયમાં ભારત વિરુદ્ધ મેચ ન રમવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે,અશ્વિન

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભવ્ય મેચને લગતો સસ્પેન્સ ચાલુ છે. આ દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અશ્વિને ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. અશ્વિને માને છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં ભારત વિરુદ્ધ મેચ ન રમવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે, અને ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી મેચ સમયપત્રક મુજબ રમાશે. હકીકતમાં, પાકિસ્તાન સરકારે તેની ટીમને ટી ૨૦ વર્લ્ડ કપમાં રમવાની પરવાનગી આપી છે, પરંતુ ભારત વિરુદ્ધ રમવાની પરવાનગી આપી નથી. આ જ કારણ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત વિરુદ્ધ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જાકે,આઇસીસીએ પાકિસ્તાનના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમ કરવાથી પાકિસ્તાનને નુકસાન થઈ શકે છે.

ભારત-પાકિસ્તાન મેચને લઈને તણાવ ચાલુ છે કારણ કે હાઈ-વોલ્ટેજ મેચ માટે માત્ર ૧૧ દિવસ બાકી છે. દરમિયાન, અશ્વિને વિશ્વાસ છે કે પાકિસ્તાન આગામી ચારથી પાંચ દિવસમાં યુ-ટર્ન લેશે. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા, અશ્વિને જણાવ્યું હતું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ૧૦૦% થશે. તેમનું માનવું છે કે પાકિસ્તાન ચાર કે પાંચ દિવસમાં પોતાનો નિર્ણય બદલી નાખશે. જા મેચ નહીં થાય તો તેનું મોટું નાણાકીય નુકસાન થશે. બ્રોડકાસ્ટર્સને મોટો ફટકો પડશે અને અન્ય પૂર્ણ-સભ્ય દેશોને પણ અસર થશે.આઇસીસી મીટિંગમાં, બધા કહેશે કે પાકિસ્તાન નુકસાન કરી રહ્યું છે.

અશ્વિને ચેતવણી આપી હતી કે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી માત્ર પાકિસ્તાનના મહેસૂલ માટે જ નહીં પરંતુ પાકિસ્તાન સુપર લીગ માટે પણ ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે કહ્યું કે આઇસીસી વિદેશી ખેલાડીઓને આપવામાં આવેલા એનઓસી રદ કરી શકે છે, જે સમગ્ર પીએલએલ યોજનાને અસર કરી શકે છે.

અશ્વિન ને એ પણ યાદ અપાવ્યું કે ૨૦ વર્લ્ડ કપ માટે હાઇબ્રિડ મોડેલ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે, જેને આઇસીસી,પીસીબી અને બીસીસીઆઇ દ્વારા સંયુક્ત રીતે મંજૂરી આપવામાં આવી છે. તેથી, સ્થળ અંગે કોઈ વિવાદ નથી. અશ્વિન ને કહ્યું કે જા ભારત અને પાકિસ્તાન તટસ્થ સ્થળોએ રમે છે, તો સ્થળ સાથે કોઈ સમસ્યા નથી. ચોક્કસ પ્રતિસ્પર્ધી સામે રમવાનો ઇનકાર કરવો અસ્વીકાર્ય છે. તેમને આશા છે કે સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં આવશે અને મેચ થશે.

નોંધનીય છે કે પાકિસ્તાન ૭ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપ અભિયાનની શ‚આત કરશે. તે પહેલાં, પાકિસ્તાન આજે તેની એકમાત્ર વોર્મ-અપ મેચમાં આયર્લેન્ડનો સામનો કરશે. આ મેચ કોલંબોના િંસગલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.