
શિફા હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અદિયાલા જેલમાં પાછા લાવવામાં આવ્યા હતા. અગાઉ, ઇમરાન ખાનને કડક સુરક્ષા હેઠળ શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, હોસ્પિટલની આસપાસનો વિસ્તાર પોલીસ નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યો હતો. મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું હતું. વધુમાં, પાકિસ્તાની સેના અને પોલીસ કર્મચારીઓને હોસ્પિટલની અંદર તૈનાત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ખાનને શિફા હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાનને સારી સારવાર માટે શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવા જાઈએ. આ આદેશ તેમના સ્વાસ્થ્ય, જીવનના અધિકાર અને તબીબી સેવાઓની ઉપલબ્ધતાની બંધારણીય ગેરંટી આપે છે. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે તેમના પરિવારના સભ્યો માટે અઠવાડિયામાં એક વાર તેમની મુલાકાત લેવાની વ્યવસ્થા કરવામાં આવે.
ઇમરાન ખાનની તરફેણમાં કોર્ટના નિર્ણય બાદ, સરકારે સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેને કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે અધૂરા દસ્તાવેજા અને કાગળકામનો હવાલો આપીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને શરીફ સરકાર માટે મોટો ફટકો માનવામાં આવે છે.
નોંધનીય છે કે મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષથી જેલમાં રહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૪૮ કલાકની અંદર ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસની બેન્ચે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇમરાન ખાનની તબિયત સારી નથી અને તેઓ વધુ સારી સારવારને પાત્ર છે. તેથી, સરકારે તેમને ઇસ્લામાબાદની શિફા હોÂસ્પટલમાં દાખલ કરવા જાઈએ. જાકે, બુધવારે, શાહબાઝ શરીફની સરકારે સુપ્રીમ કોર્ટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી.દરમિયાન, પીટીઆઈ નેતા જુનૈદ અકબરે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સરકાર ઇમરાન ખાનથી ડરે છે. જા ઇમરાન ખાન જેલમાંથી મુક્ત થાય છે, તો શાહબાઝ શરીફનું પદ જાખમમાં મુકાશે, જેના કારણે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અનાદર કરવા માટે બહાના શોધી રહી છે.
ઇમરાન ખાનનું સ્વાસ્થ્ય હવે પાકિસ્તાનના લોકો માટે એક મુખ્ય મુદ્દો બની ગયું છે. જા કે, આ વિવાદ દરમિયાન, પીટીઆઈ સતત આરોપ લગાવે છે કે સરકાર તેમના સ્વાસ્થ્ય કરતાં ઇમરાન ખાનની રાજકીય શÂક્તની વધુ ચિંતિત છે. પીટીઆઈનો આરોપ છે કે શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ઇચ્છતા નથી કે ઇમરાન ખાન કોઈપણ કિંમતે જેલમાંથી મુક્ત થાય. પાર્ટીનું કહેવું છે કે ઇમરાન ખાનની લોકપ્રિયતા સરકાર અને શાસક સંસ્થાન માટે એક મોટો પડકાર છે. પીટીઆઈ સમર્થકોનો દાવો છે કે જા ઈમરાન ખાન જેલમાંથી બહાર આવે છે, તો તે સરકાર માટે એક મોટું રાજકીય સંકટ પેદા કરી શકે છે, જેના કારણે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહી નથી.