અંબાજીમાં ૩૦ જાન્યુઆરીથી ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દૃેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૩૦.૦૧.૨૦૨૬ થી તા. ૧.૦૨.૨૦૨૬ (મહા સુદૃ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’ નું આયોજન કરાશે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ષ ૨૦૦૮માં ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૧૪માં થયું હતું. અંદૃાજે ‚. ૬૧.૫૭ કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદૃેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદૃર્શન હેઠળ આ મહોત્સવમાં ભાગ લેવા માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરાસુરી અંબાજી માતા દૃેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે અંબિકા ભોજનાલય,જીએમડીસી, માંગલ્યવન,આરટીઓ સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

પરિક્રમા મહોત્સવ દૃરમિયાન પરિક્રમા પથ, શક્તિપીઠ સંકુલ તથા મુખ્ય મંદિર પરિસરને આકર્ષક અને દિૃવ્ય માહોલ સર્જે તે રીતે વિશેષ રંગીન લાઈિંટગ, ડેકોરેશન અને ઇલ્યુમિનેશનથી શણગારવામાં આવશે. રાત્રિના સમયે સમગ્ર પરિક્રમા માર્ગ ઝગમગાટથી ઝળહળી ઊઠશે, જે શ્રદ્ધાળુઓ માટે અનોખો આધ્યાત્મિક અનુભવ આપશે. આ સાથે મહોત્સવને લોક સંસ્કૃતિનો રંગ આપવા માટે પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારાં, લોક વાદ્યો અને લોક કલાકારોના કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ આદિૃવાસી સંસ્કૃતિ અને ભક્તિ ભાવનું સુંદર સંમિશ્રણ દર્શાવવામાં આવશે. આ ભવ્ય આયોજનથી અંબાજીમાં ભક્તિ, આસ્થા અને લોક સંસ્કૃતિનો અનન્ય ત્રિવેણી સંગમ સર્જાશે.

૩૦ જાન્યુઆરીએ સવારે ૯:૩૦ કલાકે પાલખી યાત્રા, ધજા યાત્રા અને સાધુ-સંતોના આશીર્વચન સાથે મહોત્સવનો શુભારંભ થશે. ત્યારબાદપ્રાસંગિક પ્રવચનો, ભજન સત્સંગ અને આનંદગરબાનું આયોજન કરાશે.

૩૧ જાન્યુઆરી ૨૦૨૬

ત્રિશુલ યાત્રા અને પાદૃુકા યાત્રા સાથે દિૃવસનો પ્રારંભ થશે. આ દિવસે વિશેષ ‚પે શક્તિપીઠ સંકુલોમાં ’શક્તિ યાગ’ (યજ્ઞ) અને દૃર્શન પરિક્રમા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

૧ ફેબ્રુઆરી ૨૦૨૬

જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રાના આયોજન સાથે ભક્તિમય માહોલમાં મહોત્સવનું સમાપન થશે.