અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.આ ઘટના ગઈકાલે ૨૩ ડિસેમ્બરના રોજ બાપુનગરના એક મકાનમાં બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, બંને દંપતી છેલ્લા ચાર વર્ષથી લગ્ન સંબંધમાં જોડાયેલા હતા. ઘટનાના દિવસે ઘરનું બારણું અંદરથી બંધ હોવાથી પાડોશીઓને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘરનું બારણું તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ભયાનક દૃશ્ય સામે આવ્યું.પત્નીના ગળા અને ડાબા હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા, જ્યારે પતિના ગળામાં ફાંસો બાંધેલો હતો.પોલીસના જણાવ્યા મુજબ, પતિના શરીર પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘટના પહેલાં બંને વચ્ચે તીવ્ર મારામારી અથવા ઝઘડો થયો હોઈ શકે છે.

આ ઝઘડો ઉગ્ર બનતાં પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી.બાપુનગર પોલીસ સ્ટેશને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.પોલીસ હવે પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો નોંધીને ઘટના પાછળના સાચા કારણોની શોધ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ વિવાદ અથવા કોઈ અંગત મતભેદને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે.આવી ઘટનાઓ સમાજમાં પારિવારિક સંબંધોની નાજુક્તા અને માનસિક તણાવના પરિણામોને ઉજાગર કરે છે. પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.