
જા આસામ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ભાજપ-એનડીએ સરકારો રચાય છે, તો ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ગૃહમંત્રી અમિત શાહે આસામના શ્રીભૂમિ જિલ્લાના પથરકંડી વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આસામને ઘુસણખોરોનો ગઢ બનવા દેશે નહીં અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવાની અપીલ કરી. શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, “રાહુલ બાબા, સ્પષ્ટ સાંભળો, અમે આસામને ઘુસણખોરોનો ગઢ બનવા દઈશું નહીં.” તેમણે વિપક્ષ પર વોટ બેંકનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. શાહે કહ્યું કે કોંગ્રેસે આસામની બરાક ખીણની અવગણના કરી અને તેના વિકાસ માટે કંઈ કર્યું નહીં.
ગૃહમંત્રીએ દાવો કર્યો કે ભાજપે ઘુસણખોરોની ઓળખ કરી લીધી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, “ભાજપની સરકાર બનાવો, અમે ઘુસણખોરોને ઓળખી કાઢ્યા છે. હવે તેમને એક પછી એક બહાર કાઢવાનો સમય છે.” શાહે એમ પણ કહ્યું કે જા આસામ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ભાજપ-એનડીએ સરકારો રચાય છે, તો ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
સાંસ્કૃતિક મુદ્દાઓ પર બોલતા શાહે કહ્યું કે કરીમગંજનું નામ બદલીને શ્રીભૂમિ કરવાનો સંકલ્પ ફક્ત ભાજપ પાસે છે. તેમણે કોંગ્રેસ પર સત્તા મેળવવા માટે ઘુસણખોરો પર આધાર રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ આસામમાં જાતિ, જમીન અને દીકરીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
શાહે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમની સરકારે આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જા આપ્યો છે. તેમણે નાગરિકતા સુધારા કાયદા (સીએએ)નો પણ બચાવ કર્યો, કોંગ્રેસ પર રાજકીય લાભ માટે તેનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શાહે કહ્યું કે ગુજરાતને અભણ રાજ્ય કહેવું અપમાનજનક છે. તેમણે કહ્યું કે આ ભૂમિ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિક્રમ સારાભાઈ જેવા મહાન વ્યક્તિઓનું જન્મસ્થળ છે. ૧૨૬ સભ્યોની આસામ વિધાનસભા માટે મતદાન ૯ એપ્રિલે થવાનું છે, અને મતગણતરી ૪ મેના રોજ થશે.