
અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશનની કામગરી શરૂ કરી દેવામાં આવી છે. એએમસીની ટીમે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકોને ફાળવવામાં આવેલા પ્લોટ પર બનેલા ૨૫ વૈભવી બંગલાઓ તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. ડિમોલિશન શરૂ થતાં જ રહેવાસીઓએ તીવ્ર ગુસ્સો વ્યક્ત કર્યો હતો, અને સ્થાનિક લોકો વહીવટી તંત્ર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને કેટલાકે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી, જેના કારણે સ્થળ પર હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો.
આ વિવાદ ૧૯૮૩નો છે, જ્યારે મૂળ જમીનમાલિકો સિવાયના વ્યક્તિઓએ પ્લોટ પર ગેરકાયદેસર રીતે બંગલાઓ બાંયા હતા અને વેચી દીધા હતા. ત્યાં રહેતા પરિવારો દાવો કરે છે કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી તમામ જરૂરી કાનૂની દસ્તાવેજો સાથે ત્યાં રહે છે. જોકે, જમીન પર લાંબી કાનૂની લડાઈ બાદ, સુપ્રીમ કોર્ટે આખરે મૂળ માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે પ્લોટ પરથી તમામ અતિક્રમણ દૂર કરવામાં આવે અને ખાલી જમીન યોગ્ય માલિકોને સોંપવામાં આવે.
રહેવાસીઓના ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર છતાં,એએમસીએ સુપ્રીમ કોર્ટના કડક આદેશોનું પાલન કરીને ડિમોલિશન શરૂ કર્યું હતું. વહીવટીતંત્રે જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે, તમામ ૨૫ વિવાદિત બંગલાઓને તોડી પાડવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. દાયકાઓથી ત્યાં રહેતા પરિવારોની વિનંતીઓ અને આત્મદાહની ધમકીઓ છતાં, કિંમતી જમીન પરના ગેરકાયદેસર બાંધકામોને આખરે કાયદા અનુસાર તોડી પાડવામાં આવ્યા હતા.