સંખેડાની ઓરસંગ નદી માંથી મળી આવ્યો અનોખો તરતો પથ્થર

પાણીમાં ડૂબવાને બદલે પથ્થર તરતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું.

છોટાઉદેપુર જીલ્લાના સંખેડામાં ઓરસંગ નદીના કિનારે એક પથ્થર મળી આવ્યો છે જે પાણીમાં ડૂબવાને બદલે તરે છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

ગઈકાલે એક યુવકને નદી કિનારે ફરતી વખતે આ પથ્થર મળ્યો હતો. યુવકે તેને પાણીમાં મૂકતા જ તે તરવા લાગ્યો હતો, જે સામાન્ય પથ્થરોથી વિપરીત છે. હાલમાં આ તરતો પથ્થર સંખેડાના બઝાર રોડ પર આવેલી ગુજરાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે. આ સમાચાર ફેલાતા જ પથ્થરને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.

આ પથ્થરને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કેટલાક તેને શુભ સંકેત માની રહ્યા છે.