
કપિલ મિશ્રા દ્વારા સોશિયલ મીડિયા પર નકલી વીડિયો પોસ્ટ કરવા અને શીખ ગુરુઓ પ્રત્યેના તેમના કથિત ઇરાદાપૂર્વક અનાદર અંગે રાજકારણ ગરમાયું છે. આ કેસમાં હ્લૈંઇ નોંધાયા બાદ, આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ગુરુઓનો અનાદર કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. પંજાબમાં, આપ કાર્યકરોએ ભાજપના પ્રદેશ કાર્યકારી અયક્ષ અશ્ર્વિની શર્મા અને અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલના ઘરોનો ઘેરાવ કર્યો. આ નેતાઓએ સોશિયલ મીડિયા પર નકલી વીડિયો પોસ્ટ કર્યા હતા, જેના કારણે ગુરુઓનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.
દિલ્હીમાં, પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજ, આપ ધારાસભ્યો અને નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા, તેમણે પ્રાર્થના કરી કે જેઓ જૂઠાણું, નફરત અને નકલી વીડિયોનું રાજકારણ કરે છે તેમને જ્ઞાન મળે. આપે દલીલ કરી છે કે રાજકારણ સેવા અને સત્યનું માયમ હોવું જોઈએ, ધામક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું સાધન નહીં.આપે આ મુદ્દા પર પંજાબમાં ચાર અલગ અલગ સ્થળોએ એક સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા. આપ નેતાઓ અને કાર્યકરોએ ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળના ટોચના નેતાઓના નિવાસસ્થાનોનો ઘેરાવ કર્યો, જાહેર લાગણીઓને અવાજ આપ્યો.
પંજાબમાં પહેલા વિરોધ પ્રદર્શનમાં હજારો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ભાજપ કાર્યકારી અયક્ષ અશ્ર્વિની શર્માના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પાર્ટીના મતવિસ્તાર પ્રભારી અમિત સિંહ મન્ટોએ કર્યું હતું. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ભાજપ વારંવાર શીખ ભાવનાઓનો દુરુપયોગ કરી રહ્યું છે અને વિભાજનકારી રાજકારણમાં સામેલ થઈ રહ્યું છે. બીજા વિરોધ પ્રદર્શનમાં આપ કાર્યકરોએ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા પ્રમુખ જશ્ર્ન બ્રારે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે પંથિક હોવાનો દાવો કરતી પાર્ટી પોતે ગુરુઓના સન્માનને કલંક્તિ કરવા માટે નકલી વીડિયો જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે.
ત્રીજો વિરોધ કોંગ્રેસના નેતા પરગટ સિંહ સામે કરવામાં આવ્યો હતો, જ્યાં તેમના નિવાસસ્થાનને ઘેરી લેવામાં આવ્યું હતું. પંજાબના કેબિનેટ મંત્રી મોહિન્દર ભગતે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ વારંવાર ધર્મનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. છછઁ કાર્યકરોએ કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાના ઘરની બહાર પણ ચોથો વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ મતવિસ્તારના પ્રભારી સજ્જન સિંહ ચીમાએ કર્યું. કાર્યકરોએ જણાવ્યું હતું કે નકલી વીડિયો અને ખોટા આરોપો દ્વારા શીખ ગુરુઓની છબીને કલંક્તિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું કે શ્રી ગુરુ સાહેબનો સંદેશ સત્ય, સમાનતા અને ભાઈચારોનો છે.આપે ગુરુઓના વારસા પર ગર્વ છે, જેણે એક્તાનો માર્ગ બતાવ્યો. તેનાથી વિપરીત, ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળે સસ્તા રાજકીય લાભ માટે વારંવાર ધામક લાગણીઓનો દુરુપયોગ કર્યો છે. આપ નેતાઓએ એ પણ યાદ અપાવ્યું કે જલંધર પોલીસે નકલી વીડિયો સામે એફઆઇઆર દાખલ કરી છે, જે સાબિત કરે છે કે સત્ય આપ સાથે છે. આમ આદમી પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લડાઈ સત્તા કે રાજકારણ માટે નથી, પરંતુ ગુરુઓના સન્માન અને પંજાબના આત્માના રક્ષણ માટે છે. પંજાબના લોકો જોઈ રહ્યા છે અને સમય આવશે ત્યારે જૂઠાણા અને છેતરપિંડીની રાજનીતિનો ચોક્કસ જવાબ આપશે.