‘પીએમ મોદી નીટ પરીક્ષા પર ક્યારે ચર્ચા કરશે,કોંગ્રેસ નેતાએ ભાજપ-આરએસએસ પર આકરા પ્રહારો કર્યા

કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ નીટ યુજી ૨૦૨૬ પેપર લીક કેસ અંગે કેન્દ્ર સરકાર અને ભાજપ-આરએસએસ પર આકરા પ્રહારો કર્યા. રવિવારે મીડિયા સાથે વાત કરતા ખડગેએ આરોપ લગાવ્યો કે આ કોઈ સામાન્ય ભૂલ નથી પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડવાનું એક સુનિયોજિત કાવતરું છે. તેમણે કહ્યું કે કરોડો રૂપિયાના આ કથિત કૌભાંડમાં ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકો સંડોવાયેલા છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

ખર્ગેએ કહ્યું કે નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીકથી આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્ષોથી દિવસ-રાત મહેનત કરનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પૈસા માટે વેચાઈ ગયું છે. તેમણે કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવથી પીડાઈ રહ્યા છે અને કેટલાકે આત્મહત્યા પણ કરી છે. ખર્ગેએ પ્રશ્ન કર્યો કે આ મૃત્યુ અને વિદ્યાર્થીઓના ઘટતા મનોબળની જવાબદારી કોણ લેશે.

કર્ણાટકના મંત્રીએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર પણ નિશાન સાધતા કહ્યું કે જો ભાજપમાં કોઈ શરમ બાકી હોય, તો તેમને તાત્કાલિક મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ અથવા તેમણે પોતે રાજીનામું આપવું જોઈએ. તેમણે પૂછ્યું કે નાના-નાના મામલામાં વિપક્ષ પાસેથી રાજીનામાની માંગ કરનારા ભાજપના નેતાઓ હવે આ મોટા શિક્ષણ કૌભાંડ પર કેમ ચૂપ છે.

ખર્ગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કટાક્ષમાં પૂછ્યું કે વડા પ્રધાન વારંવાર “પરીક્ષા પે ચર્ચા” વિશે કેમ વાત કરે છે, પરંતુ તેઓ હવે દ્ગઈઈ્‌ પરીક્ષા વિવાદ પર ચર્ચા કેમ નથી કરતા? ખર્ગેએ કહ્યું કે યુવાનોના હિતની વાત કરતી સરકારે હવે વિદ્યાર્થીઓના ગુસ્સા અને પીડાનો જવાબ આપવો જોઈએ.

દરમિયાન, કેસની તપાસ કરી રહેલી ઝ્રમ્ૈં એ રવિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આરોપી મનીષા ગુરુનાથ માંધારેને રજૂ કર્યો. સીબીઆઇએ કોર્ટ પાસેથી ૧૪ દિવસની

કસ્ટડી માંગી અને કહ્યું કે સમગ્ર એનટીએ પરીક્ષા પ્રક્રિયા તપાસ હેઠળ છે. એજન્સીનો દાવો છે કે આરોપીએ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા હતા, જેની તપાસ ચાલી રહી છે.

મનીષા માંધારે પુણેના એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષક છે અને એનટીએ પેનલમાં નિષ્ણાત અને અનુવાદક તરીકે કામ કરી ચૂક્યા છે. સીબીઆઈ દ્વારા મથુરાની એક હોટલમાં તેણીની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેણીની ધરપકડ કરવામાં આવી હતી. બચાવ પક્ષે કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપીના ઘરેથી કોઈ ગુનાહિત સામગ્રી મળી આવી નથી અને તેણીએ અગાઉ તપાસમાં સહકાર આપ્યો હતો.

પેપર લીક વિવાદ વચ્ચે, નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ઘણા વરિષ્ઠ અધિકારીઓની નવી નિમણૂકો કરી છે. દરમિયાન, નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ દિલ્હીમાં દ્ગ્‌છ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું, એજન્સી પર પ્રતિબંધ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી. આ સમગ્ર ઘટનાથી દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે.