
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા છત્તીસગઢમાં યોજાયેલા ’બસ્તર પાંડુમ’ ઉત્સવની પ્રશંસા કરી. પ્રદૃેશના બદૃલાતા ચહેરા પર પ્રકાશ પાડતા તેમણે કહૃાું કે એક સમયે માઓવાદ અને પછાતપણા માટે જાણીતું બસ્તર હવે વિકાસ અને સ્થાનિક લોકોમાં આત્મવિશ્ર્વાસ વધવાની નવી વાર્તા લખી રહૃાું છે.
બદલતું ચિત્ર અને સાંસ્કૃતિક ગૌરવ પ્રધાનમંત્રીએ ૭ થી ૯ ફેબ્રુઆરી દૃરમિયાન યોજાયેલા “બસ્તર પાંડુમ” ખાતે બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને આદિવાસી વારસાના ભવ્ય પ્રદર્શનની નોંધ લીધી.
તેમણે કહૃાું કે એક સમય હતો જ્યારે બસ્તરનો ઉલ્લેખ કરવાથી માઓવાદ અને િંહસાની છબીઓ ઉભરાતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે આ સફળ કાર્યક્રમ માટે છત્તીસગઢના લોકોને અભિનંદૃન આપ્યા અને ભવિષ્યમાં આ પ્રદૃેશ શાંતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક ગૌરવનો આનંદ માણે તેવી શુભેચ્છા પાઠવી.
છત્તીસગઢમાં ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન “બસ્તર પાંડુમ” નામનો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવમાં બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને આદિવાસી વારસાનું ભવ્ય રીતે પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસમાં સામેલ મારા પરિવારના તમામ સભ્યોને મારા દયપૂર્વક અભિનંદન. આવા કાર્યક્રમો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે મહત્વપૂર્ણ છે
નક્સલવાદૃનો અંત લાવવાની પ્રતિજ્ઞા. નોંધનીય છે કે માત્ર એક દિવસ પહેલા, ૯ ફેબ્રુઆરીએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગદૃલપુરમાં ’બસ્તર પાંડુમ’ના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે જાહેરાત કરી કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ભારતમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદૃ થઈ જશે.
તેમણે કહૃાું કે બસ્તર હવે ’બંદૃૂકો અને ગોળીઓ’ને બદલે ’પર્યટન અને સંસ્કૃતિ’નું કેન્દ્ર બની રહૃાું છે. ’બસ્તર પાંડુમ’ છત્તીસગઢ સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય બસ્તર વિભાગની આદિૃવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત રમતોને જાળવવાનો છે. આ વર્ષના કાર્યક્રમમાં હજારો આદિૃવાસી કલાકારોએ તેમની પ્રતિભા દર્શાવી હતી, જેની દૃેશભરમાં પ્રશંસા થઈ છે.