અમરનાથ યાત્રા સ્થગિત, વૈષ્ણોદેવી દર્શન પણ બંધ, ભારે વરસાદ અને પૂરથી કાશ્મીરમાં સ્થિતિ વધુ ખરાબ

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની ચેતવણીને કારણે, બાલતાલ રૂટ પરથી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને આગામી સૂચના સુધી બાલતાલ બેઝ કેમ્પ અને નજીકના લંગરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા ૧૯ જુલાઈથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. યાત્રાળુઓને બાલતાલ અને નુનવાન/ચંદનવારી બેઝ કેમ્પથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભારે વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે વૈષ્ણોદેવી યાત્રાને પણ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે.

એક નિવેદનમાં, કાશ્મીર વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને, યાત્રાળુઓની સલામતી અને સુખાકારી માટે સાવચેતીના પગલા તરીકે, ૧૯ જુલાઈ, ૨૦૨૬ થી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી શ્રી અમરનાથજી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે.અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે યાત્રા ફરી શરૂ કરવા અંગેની માહિતી માર્ગની સલામતી સુનિશ્ચિત કર્યા પછી અને હવામાનની સ્થતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાલુ શ્રી અમરનાથજી યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ૩.૭૬ લાખથી વધુ યાત્રાળુઓ ગુફા મંદિરના દર્શન કરી ચુક્યા છે.સાવચેતીના પગલા તરીકે અમરનાથ યાત્રા સ્થગિત કરવા અંગે, એક યાત્રાળુએ કહ્યું, “અમે અમરનાથ યાત્રા માટે જમ્મુ આવ્યા હતા. અમને જાણવા મળ્યું કે અહીં ભારે વરસાદની અપેક્ષા છે, તેથી સરકારે યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરી છે. યાત્રા ફરી શરૂ કરતા પહેલા વહીવટીતંત્ર હવામાનનું મૂલ્યાંકન કરશે. વહીવટીતંત્રનો આ ખૂબ જ સારો નિર્ણય છે.” જા ભારે વરસાદ ચાલુ રહે, તો યાત્રાળુઓએ જ્યાં છે ત્યાં સુરક્ષિત રહેવું જાઈએ, હવામાનનું નિરીક્ષણ કરવું જાઈએ અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જાઈએ.અમરણનાથ યાત્રા સ્થગિત કરવા અંગે બીજા એક યાત્રાળુએ કહ્યું,

“અમે ગઈકાલે પહોંચ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે, યાત્રા ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવી છે. સલામતીના કારણોસર આ જરૂરી છે, અને અમને તેનો કોઈ વાંધો નથી.” યાત્રાળુએ વધુમાં જણાવ્યું હતું કે હવામાન વધુ ખરાબ થાય અને યાત્રા વધુ રોકાઈ જાય તો પણ અમે રોકાઈશું. અમે રવાના થતાં પહેલાં અમરનાથજીના દર્શન કરીશું. યાત્રાળુએ યાત્રા માટે આવતા લોકોને અપીલ કરી હતી કે તેઓ બાળકો અને વૃદ્ધોને પોતાની સાથે ન લાવે, કારણ કે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના એક યાત્રાળુએ જણાવ્યું હતું કે તેમની સલામતી માટે યાત્રા અટકાવી દેવામાં આવી છે.

માર્ગ પર ભૂસ્ખલનનો ભય છે, જેના કારણે યાત્રા અટકાવી દેવામાં આવી છે. અમે ૧૪ વખત અમરનાથ યાત્રા પર ગયા છીએ; આ યાત્રા પણ યાત્રાનો એક ભાગ છે. માતા વૈષ્ણો દેવીની યાત્રા પણ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાન અને ભારે વરસાદ ચાલુ છે. હવામાનની ગંભીર ચેતવણી વચ્ચે, વહીવટીતંત્રે ૧૯ જુલાઈથી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ૮ જુલાઈના રોજ, શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ ભૂસ્ખલનથી પ્રભાવિત થયો હતો, પરંતુ યાત્રા અકબંધ રહી.