
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જીલ્લા કલેકટર અજય દહિયાએ સૌપ્રથમ પોતાના નિવાસ સ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી.

આ ઉપરાંત કલેકટર કચેરી, ગોધરા ખાતે હર્ષોલ્લાસ સાથે કર્મચારીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.આ પ્રસંગે જીલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક જીલ્લા કલેકટર જે. જે. પટેલ,ગોધરા પ્રાંત અધિકારી નિરિલ મોદી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.