સુપ્રીમ કોર્ટ ખાનગી યુનિવસટીઓની કામગીરીની વ્યાપક તપાસ કરશે; કેન્દ્ર, રાજ્યો અને યુજીસી પાસેથી જવાબો માંગશે

દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ ફરીદાબાદની અલ ફલાહ યુનિવસટીની વિશ્ર્વસનીયતા અંગે ઉભા થયેલા પ્રશ્ર્નો વચ્ચે, સુપ્રીમ કોર્ટે દેશમાં ઝડપથી વિક્સતી ખાનગી અને ડીમ્ડ યુનિવસટીઓના કાર્ય, નિયમો અને સંચાલન માળખાની વ્યાપક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને યુનિવસટી ગ્રાન્ટ્સ કમિશન પાસેથી અનેક મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર, સોગંદનામા જેવી માહિતી માંગી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ તથ્યો છુપાવવા કે વિકૃત કરવા જોઈએ નહીં. કોર્ટે યુજીસી ખાનગી યુનિવસટીઓના સંદર્ભમાં તેની કાનૂની ફરજો, નિયમનકારી સત્તાઓ, દેખરેખ પદ્ધતિઓ અને વાસ્તવિક પાલન વ્યવસ્થાઓ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ હસનુદ્દીન અમાનુલ્લાહ અને એનવી અંજારિયાની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો.

બેન્ચે સ્પષ્ટ કર્યું કે યુજીસીએ એ પણ સમજાવવું જોઈએ કે ખાનગી યુનિવસટીઓ વિદ્યાર્થી પ્રવેશ નીતિઓ, ફેકલ્ટી નિમણૂક પ્રક્રિયાઓ, નિયમનકારી દેખરેખ અને સરકારી છૂટછાટોનું પાલન કેવી રીતે સુનિશ્ર્ચિત કરે છે. બેન્ચે ખાસ પૂછ્યું કે શું આ યુનિવસટીઓ ખરેખર બિન-લાભકારી મોડેલ પર કાર્યરત છે. સરકાર કેવી રીતે ખાતરી કરે છે કે સંસ્થાઓની આવકનો ઉપયોગ સંસ્થાની બહારના હેતુઓ માટે ન થાય, જેમ કે સ્થાપકો અથવા તેમના પરિવારોના લાભ માટે? ઉપરાંત, શું વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ અસરકારક છે?

આ કેસ એક વિદ્યાર્થીની અરજીથી શરૂ થયો હતો જેમાં એમિટી યુનિવસટીને તેનું નામ બદલવાનો આદેશ માંગવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને જાહેર હિતનો મુદ્દો માનીને જાહેર હિતની અરજીમાં રૂપાંતરિત કરી દીધી. બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને દેશમાં ખાનગી, બિન-સરકારી અથવા ડીમ્ડ યુનિવસટીઓની સ્થાપના કયા પૃષ્ઠભૂમિ અને કાનૂની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી તે વિશે પૂછ્યું. તેમાં સરકારના લાભો, જેમ કે જમીન ફાળવણી અને અન્ય સુવિધાઓ, અને ટોચના નિર્ણય લેતી સંસ્થાઓ – ગવનગ બોર્ડ અને મેનેજમેન્ટ કમિટી – કેવી રીતે પસંદ કરવામાં આવી હતી અને તેમની રચના શું હતી તે વિશે પણ પૂછવામાં આવ્યું. શું શિક્ષકો અને કર્મચારીઓને કાયદેસર રીતે નિર્ધારિત લઘુત્તમ વેતન મળી રહ્યું છે? બેન્ચે નિર્દેશ આપ્યો કે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને તમામ રાજ્યોના મુખ્ય સચિવોએ વ્યક્તિગત રીતે માહિતી એકત્રિત કરવી જોઈએ અને તેને સોગંદનામા સાથે સબમિટ કરવી જોઈએ. યુજીસી ચેરમેનને પણ સમાન સોગંદનામું સબમિટ કરવાની જરૂર પડશે.