ગોધરા તાલુકાના ઓરવાડાથી વાઘજીપુર જતા રોડ પર આવેલ કોતરમાં બાઈક સાથે ખાબકેલ બખ્ખરના યુવકનુ ડુબી જતાં મોત

ગોધરા તાલુકાના બખ્ખર ગામે ઓરવાડાથી વાઘજીપુર તરફ જતાં રોડ ઉપર આવેલ કોતરમાં બાઈક ચાલક બાઈક સાથે ખાબકયો હતો. અને કોતરના પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતુ. આ બાબતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

કાલોલ તાલુકાના બખ્ખર ગામે ડેડકીયા ફળિયામાં રહેતા દિલીપભાઈ છત્રસિંહ બારીયા(ઉ.વ.૨૪)પોતાની બાઈ( નં.જીજે-૧૭-બીપી-૧૮૦૭ લઈને પસાર થતો હોય છાવડનાળા પાસે ઓરવાડાથી વાઘજીપુર તરફ જતા રોડ ઉપર આવેલ કોતરમાં બાઈક સાથે ખાબકયો હતો. જેથી કોતરના પાણીમાં ડુબી જતાં દિલીપભાઈ બારીયાનુ મોત નીપજયું હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.