
દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવ મે મહિનામાં વધ્યા છે. મે મહિનામાં છૂટક ફુગાવો વધીને ૩.૯૩ ટકા થયો. એપ્રિલમાં ફુગાવાનો દર ૩.૪૮ ટકા હતો. જાકે, ફુગાવાનો દર રિઝર્વ બેંકના ૪ ટકાના અંદાજ કરતાં નીચે રહ્યો.
ફુગાવો રિઝર્વ બેંકના ૪ ટકાના લક્ષ્યાંક કરતાં નીચે છે. આ સતત ૧૬મો મહિનો છે જ્યારે ફુગાવો આરબીઆઇના લક્ષ્યાંક કરતાં નીચે રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઈરાન યુદ્ધે ફુગાવામાં વધારો કર્યો છે. જૂન નાણાકીય નીતિમાં,આરબીઆઇએ એફવાય૨૭ માટે ફુગાવાનો દર અગાઉના ૪.૬ ટકાથી સુધારીને ૫.૧ ટકા કર્યો છે.
ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધોએ ભારતીય અર્થતંત્ર પર દબાણ વધાર્યું છે, જેની અસર ચલણ બજાર પર પડી છે. જા કે, આ આંચકાઓ છતાં, ભારતનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે,જીડીપી વૃદ્ધિ ૭.૮ ટકા છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવ ફુગાવામાં ફાળો આપી રહ્યા છે, જેના કારણે સીપીઆઇ માં વધારો થઈ રહ્યો છે.