મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહેઉચ્ચ સ્તરીય બેઠક યોજી , જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર હતા

ગયા મહિનાની ૨૮મી ફેબ્રુઆરીએ, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો, અને ત્યારબાદ ઇઝરાયલ-યુએસએ વચ્ચે યુદ્ધ હજુ શમ્યું નથી. આ યુદ્ધ તણાવને ધ્યાનમાં રાખીને, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ત્રણેય સશ† દળોના વડાઓ, સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સુરક્ષા વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ભારતની લશ્કરી તૈયારીઓનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કારણે બદલાતી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે ભારતની સંરક્ષણ તૈયારીનું મૂલ્યાંકન કરવાનો અને કોઈપણ સંભવિત પડકાર માટે વ્યૂહરચના ઘડવાનો હતો.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરહદ સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, હવાઈ સંરક્ષણ અને ઓપરેશનલ તૈયારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત તેની સાર્વભૌમત્વ અને રાષ્ટÙીય હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવા સક્ષમ છે. એ નોંધવું જાઈએ કે બેઠકમાં સશ† દળોને સતર્ક રહેવા અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક એવા સમયે આવી રહી છે જ્યારે વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિ ઝડપથી વિકસી રહી છે, અને ભારત દરેક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.