વિદ્યાર્થીઓ પર એકે-૪૭નો ઉપયોગ કરવો અને લાઠીચાર્જ કરવો ખોટું છે, અમે તેનો વિરોધ કરીએ છીએ,એનડીએ સાંસદ

બિહારના સિવાન જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર એકે-૪૭નો ગોળીબાર કર્યા બાદ આ મુદ્દો ગરમાયો છે. રાષ્ટય લોકતાંત્રિક ગઠબંધનના સાથી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના સાંસદ શામ્ભવી ચૌધરી પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં બહાર આવ્યા છે.

સાંસદ ચૌધરીએ બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન એકે-૪૭ રાઈફલના કથિત ઉપયોગ અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલા લાઠીચાર્જની નિંદા કરતા કહ્યું કે, “અમે આની વિરુદ્ધ છીએ.”જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના સાંસદ શામ્ભવી ચૌધરીએ કહ્યું કે કાર્યકર્તા સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાઓએ સ્વીકાર્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન અસામાજિક તત્વો હાજર હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી હતી.

સંસદ ગૃહ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા શામ્ભવી ચૌધરીએ કહ્યું, “લોકશાહીની સુંદરતા એ છે કે તમે શાંતિથી તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હંમેશા આવકાર્ય છે, અને આપણા લોકશાહીમાં, યુવાનોને ભાગ લેવા અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે.”તેમણે કહ્યું, “જ્યાં પણ એકે ૪૭નો ઉપયોગ થયો છે, તે ખોટું છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ ખોટું છે.

જાકે, સોનમ વાંગચુક અને સીજેપીના પ્રવક્તાઓએ સ્વીકાર્યું છે કે અનેક વખત વિરોધ પ્રદર્શન દરમિયાન અસામાજિક તત્વો હાજર હતા. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી.”શનિવારે, બિહારના સિવાન જિલ્લામાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન એકે ૪૭ રાઇફલનો ઉપયોગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સિવાનના પોલીસ અધિક્ષક પૂરણ કુમાર ઝાએ જણાવ્યું હતું કે ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી

.સિવાનમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન, એક પોલીસકર્મીએ છદ્ભ-૪૭ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સરકારે કાર્યવાહી કરી છે અને સંડોવાયેલા અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલો હવે સંસદમાં પહોંચ્યો છે.