UAE પ્રેસિડેન્ટને મોદીએ પ્રોટોકોલ તોડીને રિસીવ કર્યા:કહ્યું- મારા ભાઈને લેવા આવ્યો છું; નાહયાન માત્ર 90 મિનિટ દિલ્હીમાં રોકાશે

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે સાંજે 4:30 વાગ્યે ભારત પહોંચ્યા. PM મોદીએ પ્રોટોકોલ તોડીને તેમને દિલ્હીના પાલમ એરપોર્ટ પર રિસીવ કર્યા. મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, હું મારા ભાઈને લેવા પોતે એરપોર્ટ આવ્યો છું.

શેખ જાયદ થોડીવારમાં PM મોદી સાથે મીટિંગ કરશે અને અંદાજે સાંજે 6 વાગ્યે ભારતથી રવાના થઈ જશે. વિદેશ મંત્રાલય (MEA) મુજબ બંને નેતાઓ વચ્ચે આજે વ્યાપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, ઉર્જા અને દુનિયા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર મોટી ડીલ થઈ શકે છે.

MEAએ જણાવ્યું કે બંને નેતાઓ મિડલ-ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી શકે છે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બનેલી છે. યમનમાં UAE અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

MEA એ મુલાકાતની જાણકારી આપતા કહ્યું-

  • બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઊર્જા પુરવઠાને લઈને મજબૂત ભાગીદારી છે. આ સાથે, લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ અને બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટીએ આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
  • આ મુલાકાત ભારત-UAE કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ આગળ વધારવા અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગના નવા રસ્તા ખોલવાની તક આપશે.
  • ભારત અને UAE વચ્ચે 1972માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર, BRICS, I2U2 અને UFI જેવા બહુપક્ષીય મંચો પર પણ ગાઢ સહયોગ કરે છે.

ગલ્ફ દેશોમાં UAEને સૌથી વધુ નિકાસ કરે છે ભારત

UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. આમાં UAEએ ભારતમાંથી 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારતને UAE સાથે નાણાકીય ખાધ છે. એટલે કે ભારત UAE પાસેથી આયાત વધુ કરે છે અને નિકાસ ઓછી.

ભારતે નાણાકીય વર્ષ 2022-23માં UAE પાસેથી 4 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારતે UAE સાથે એક વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ભારત, UAEને પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોની નિકાસ કરે છે.

ભારત UAEને શું એક્સપોર્ટ કરે છે?

UAEને ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોનો સમાવેશ થાય છે.