ગોધરા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલને વિદેશી દારૂ સાથે નંદેસરી પોલીસે ઝડપ્યો

ગોધરા રેલવે પોલીસ તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઈ ચુડાસમા વિદેશી દા‚ની હેરાફેરીના કેસમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ૧૬ ઓગસ્ટના રોજ દિલ્હી-મુંબઈ ભારતમાલા હાઈવે પર નંદેસરી પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સુરત તરફથી આવી રહેલી એક ક્રેટા કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ‚. ૪.૬૦ લાખની કિંમતનો વિદેશી દા‚નો જથ્થો મળી આવ્યો હતો.

હેડ કોન્સ્ટેબલ સહિત બેની અટકાયત પોલીસે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેમના સાગરીત વિક્રમ વલ્લભ ઢાપાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દા‚નો જથ્થો સુરતના લિંબાયત વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે દા‚ના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

ધરપકડ બાદ કડક કાર્યવાહી કરવાની માંગ હેડ કોન્સ્ટેબલની દા‚ની હેરાફેરીના કેસમાં ધરપકડ થતાં તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ તેમની અગાઉની કામગીરી અને તેમના પર લાગેલા આક્ષેપોની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

અગાઉ માર માર્યાના ગંભીર આક્ષેપો સંજય ચુડાસમા સામે અગાઉ પણ દબંગાઈ અને સત્તાના દુ‚પયોગના આક્ષેપો થયેલા હોવાનું સામે આવ્યું છે. ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ ગોધરાના વેરૈયા ગ્રામ પંચાયતના સરપંચ પતિ રણજીતસિંહ પરમારને સમાધાનના બહાને ડેરોલ રેલવે સ્ટેશન પોલીસ ચોકીમાં બોલાવી ‚મમાં પૂરી દંડા વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રણજીતસિંહ પરમારને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા તેમજ તેમનો મોબાઈલ પણ લઈ લેવાયો હોવાનો આક્ષેપ છે.

રેલવે ઉુજઙ લખેલી ગાડી મામલે પણ સવાલો આ ઘટનાની રાત્રે વેરૈયા ગામમાં રેલવે ઉુજઙ લખેલી ગાડી લઈ રોફ જમાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થયા હતા. રેલવે પોલીસની હદ બહાર આવેલા ગામમાં ઉુજઙની ગાડી કયા અધિકારીના કહેવાથી પહોંચી હતી, તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ મામલે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઢાંકપીછોડો કર્યો હોવાનો અને પીડિતને યોગ્ય ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

જૂના મામલાની તટસ્થ તપાસની લોકમાંગ હવે હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા વિદેશી દા‚ની હેરાફેરીના કેસમાં ઝડપાતા વેરૈયા ગામના સરપંચ પતિને માર મારવાના અગાઉના આક્ષેપોની પણ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે. દા‚ હેરાફેરીના કેસ સાથે તેમના અગાઉના વિવાદાસ્પદ મામલાઓની પણ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.