
મય પૂર્વમાં ફરી એકવાર પૂર્ણ-સ્તરીય લશ્કરી સંઘર્ષની શક્યતા વધી રહી છે. ઇઝરાયલી સૈન્યએ રવિવારે બેરુતમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્ય અને ઉગ્રવાદી હૈથમ તબતાબાઈને માર્યાનો દાવો કર્યો. એક નિવેદનમાં, સૈન્યએ તબતાબાઈને ઈરાન સમથત ઉગ્રવાદી જૂથના ચીફ ઓફ સ્ટાફ તરીકે વર્ણવ્યા. હિઝબુલ્લાહે આ દાવા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી ન હતી. તબતાબાઈએ હિઝબુલ્લાહના ચુનંદા રદવાન યુનિટનું નેતૃત્વ કર્યું હતું. અમેરિકાએ ૨૦૧૬ માં તબતાબાઈને આતંકવાદી જાહેર કર્યા હતા, તેમને સંગઠનના સ્ટ્રાઈક યુનિટના કમાન્ડર તરીકે વર્ણવ્યા હતા, જેણે સીરિયા અને યમનમાં હિઝબુલ્લાહના વિશેષ દળોનું નેતૃત્વ કર્યું હતું. અમેરિકાએ તેમની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે ૫ મિલિયન યુએસ ડોલરનું ઈનામ ઓફર કર્યું હતું.
ઈઝરાયલે ઈરાન સમથત ઉગ્રવાદી જૂથને ફરીથી હથિયાર ન બનાવવાની કે ફરીથી નિર્માણ ન કરવાની ચેતવણી પણ આપી હતી. આ હુમલો ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધના અંતના લગભગ એક વર્ષ પછી થયો છે, જેનાથી વ્યાપક સંઘર્ષનો ભય ઉભો થયો છે. કેથોલિક ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ નેતા પોપ લીઓ ઠૈંફ, લેબનોનની મુલાકાત લેવાના છે તેના થોડા દિવસો પહેલા જ ઇઝરાયલની કાર્યવાહી આવી છે.
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તરી ઈઝરાયલ અને ઈઝરાયલ રાજ્યના રહેવાસીઓ માટે કોઈપણ ખતરાને રોકવા માટે અમે કડક કાર્યવાહી ચાલુ રાખીશું. સરકારના પ્રવક્તા શોશ બેડ્રોસિયને એ જણાવ્યું ન હતું કે ઈઝરાયલે હુમલા પહેલા અમેરિકાને જાણ કરી હતી કે નહીં. તેમણે ફક્ત એટલું જ કહ્યું, ઈઝરાયલ સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં લક્ષ્યો પર હુમલો કર્યો હતો. એક નિવેદનમાં, લેબનીઝ રાષ્ટ્રપતિ જોસેફ આઉને હુમલાની નિંદા કરી અને ઈઝરાયલ પર યુદ્ધવિરામ કરાર લાગુ કરવાનો ઇનકાર કરવાનો આરોપ મૂક્યો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને લેબનન અને તેના લોકો પર હુમલા રોકવા માટે બળ અને ગંભીરતા સાથે હસ્તક્ષેપ કરવા હાકલ કરી. હુમલા બાદ વ્યસ્ત હેરેટ હેર વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા.