ગોધરામાં આરાધના યુવક મંડળે સતત બીજા વર્ષે ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપ્યા

જીલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ સભ્યોને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા.

ગોધરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાઈ રહ્યો છે. આરાધના યુવક મંડળે સતત બીજા વર્ષે માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપી છે.

મંડળે કુદરતી વાતાવરણ, વન્યજીવો અને હરિયાળી સાથે પ્રકૃતિને જોડતી થીમ પર ખાસ મંડપ બનાવ્યો છે. આ આખો સેટઅપ તૈયાર કરવામાં મંડળના સભ્યોને લગભગ દોઢ મહિનો લાગ્યો હતો.

મંડળના આ પર્યાવરણલક્ષી પ્રયાસને બિરદાવવા પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દૂધાત, અઙખઈ ચેરમેન માલવદીપસિંહ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાળી સહિતના અગ્રણીઓ મંડળની મુલાકાતે આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ મંડળના સભ્યોને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા. આ ખાસ ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ મંડળે જે.બી. આર્ટ્સના ઉમંગભાઈ પટેલ પાસેથી તૈયાર કરાવી છે.

મંડળના સભ્ય ટ્વિંકલ દવેએ જણાવ્યું કે, મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપવાની પરંપરા જાળવી રહ્યું છે. પોલીસ પ્રશાસન પણ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપવા અપીલ કરે છે. આરાધના યુવક મંડળનો આ પ્રયાસ બીજા ગણેશ મંડળો માટે પણ પ્રેરણા‚પ બની રહ્યો છે.