૧૫૦૦ કરોડના એનએ (બિનખેતી) જમીન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન, સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ, અને કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્ર્વત વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધાયો. કલેક્ટર રાજેન્દ્ર પટેલનું ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું હતું.
હાલમાં ઈડીની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી છે અને ત્યાં લાંબી પૂછપરછ પછી પહેલી માહિતી અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ પણ ચાલી રહી છે, અને કૌભાંડમાં અન્ય સંબંધિત અધિકારીઓની નામ પણ સામે આવી શકે છે. આ કેસ ગુજરાતના જમીન સંબંધિત કૌભાંડની તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે, અને આગામી દિવસોમાં ઈડી દ્વારા વધુ કાર્યવાહી થવાની સંભાવના છે.