
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર યાન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉસ એવન્યુ કોર્ટે જણાવ્યું હતું કે જો ઈડી ઈચ્છે તો તપાસ ચાલુ રાખી શકે છે. ગાંધી પરિવાર પર ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના ગેરઉપયોગનો આરોપ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ તેની ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડનું નામ આપ્યું હતું. જોકે, કોંગ્રેસ પક્ષે દલીલ કરી હતી કે ઈડ્ઢ ની તપાસ રાજકીય બદલાની કાર્યવાહી હતી. ઈડ્ઢ એ દાવો કર્યો હતો કે તે એક ગંભીર આથક ગુનો હતો જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા મળ્યા હતા. ઈડીએ એસોસિએટેડ જર્નલ્સ પર ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના ગેરઉપયોગનો આરોપ લગાવ્યો હતો.
એડવોકેટ સંદીપ લાંબાએ કહ્યું, હું ફરિયાદી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનું પ્રતિનિધિત્વ કરું છું. આજના કોર્ટના નિર્ણયમાં જણાવાયું છે કે ઈડીએ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરી નથી. તેથી, કોર્ટે કેસના ગુણદોષ પર યાન આપ્યું નથી. ઈડી તેની તપાસ ચાલુ રાખવા અને એફઆઇઆર દાખલ કરવા માટે સ્વતંત્ર છે. મુખ્ય વાત એ છે કે જો ઈડ્ઢ એ સ્વામીની ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરી હોત, તો આજે આ ઇનકાર થયો ન હોત. ઈડી સ્વતંત્ર છે. કોર્ટ તરફથી કોઈ પ્રતિબંધ નથી. ઈડી જે પણ તપાસ કરવા માંગે છે તે કરી શકે છે.
કોંગ્રેસે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ તેના એકસ હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, સત્યનો વિજય થયો છે. સરકારના દુર્ભાવનાપૂર્ણ અને ગેરકાયદેસર પગલાં સંપૂર્ણપણે ખુલ્લા પડી ગયા છે. માનનીય કોર્ટે યંગ ઈન્ડિયન કેસમાં કોંગ્રેસ નેતૃત્વ – સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી – વિરુદ્ધ ઈડીની કાર્યવાહીને ગેરકાયદેસર અને દુર્ભાવનાપૂર્ણ ગણાવી છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઈડીનો કેસ તેના અધિકારક્ષેત્રની બહાર છે, કારણ કે તેમાં એફઆઇઆરનો અભાવ છે, જેના વિના કેસ સ્થાપિત થઈ શક્તો નથી. છેલ્લા એક દાયકાથી મુખ્ય વિપક્ષી પક્ષ સામે આ સરકારની રાજકીય બદલો અને બદલાની કાર્યવાહી હવે સમગ્ર રાષ્ટ્ર સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.