પ્રિયા સચદેવાએ દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો, ભાભી અને પોડકાસ્ટર સામે ૨૦ કરોડનો દાવો કર્યો

પ્રિયા સચદેવા કપૂરે હવે દિલ્હી હાઇકોર્ટમાં તેની ભાભી મંદિરા કપૂર સ્મિથ અને એક પોડકાસ્ટર સામે ૨૦ કરોડ રૂપિયાનો સિવિલ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. તેણીનો આરોપ છે કે પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા નિવેદનોથી તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

પ્રિયા સચદેવ કપૂરે અગાઉ આ કથિત નિવેદનો માટે મંદિરા કપૂર સ્મિથ  સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આરકે ફેમિલી ટ્રસ્ટ અને મિલકત સંબંધિત ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે આ કાનૂની લડાઈ ઉભરી આવી છે.

પ્રિયાનો જન્મ દિલ્હીના એક વેપારી પરિવારમાં થયો હતો. તેના પિતા, અશોક સચદેવ, એક ઓટોમોબાઈલ ડીલર છે. તેણીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં ગણિત અને વ્યવસાય વ્યવસ્થાપનનો અભ્યાસ કર્યો હતો અને થોડા સમય માટે યુસીએલએમાં પણ અભ્યાસ કર્યો હતો. પ્રિયાએ શરૂઆતમાં મોડેલિંગ દ્વારા ધ્યાન ખેંચ્યું હતું. તેણીએ ૨૦૦૫ ની બોલિવૂડ ફિલ્મ નીલ એન નિક્કીમાં પણ નાની ભૂમિકા ભજવી હતી. તેણીની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તે હાલમાં સોના કોમસ્ટારમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને કપૂર પરિવારની રોકાણ કંપની, ઓરિયસ ઇન્વેસ્ટમેન્ટ્સની ડિરેક્ટર છે.

તેણીએ લંડનમાં ક્રેડિટ સુઇસ ફર્સ્ટ બોસ્ટનના મર્જર્સ અને એકિવઝિશન વિભાગમાં તેણીની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારત પાછા ફર્યા પછી, તેણીએ ઓટોમોબાઈલ રિટેલ, વીમા, ફેશન અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું. બાદમાં તેણીએ ્‌જીય્ ઇન્ટરનેશનલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી અને લક્ઝરી ઈ-કોમર્સ પ્લેટફોર્મ રોક એન શોપની સહ-સ્થાપના કરી. તેણી ઓરિયસ પોલો ટીમની નેતા પણ છે, જે તેના પતિ સંજય કપૂર દ્વારા શરૂ કરવામાં આવી હતી.