ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ) ના વરિષ્ઠ નેતાઓ સુખેન્દુ શેખર રોય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચિક બૈરિકે તાજેતરમાં રાજીનામું આપ્યું છે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ત્રણ રાજ્યસભા બેઠકો ખાલી રહી છે. હવે, આ ત્રણ બેઠકો માટે પેટાચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ ત્રણ બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરી છે, સાથે જ નામાંકન તારીખો અને પરિણામો જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ જાહેર કરી છે.
એ નોંધવું જોઈએ કે સુખેન્દુ શેખર રોયે ૮ જૂન, ૨૦૨૬ ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સુસ્મિતા દેવે ૧૦ જૂન, ૨૦૨૬ ના રોજ રાજીનામું આપ્યું હતું અને પ્રકાશ ચિક બૈરૈકે બીજા દિવસે, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ રાજીનામું આપ્યું હતું. ત્યારથી, આ ત્રણ રાજ્યસભા બેઠકો ખાલી છે, જેનો કાર્યકાળ ૨૦૨૯ અને ૨૦૩૦ સુધી લંબાયો છે. ચૂંટણી પંચે હવે આ બેઠકો માટેની પેટાચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પેટાચૂંટણીઓ ૨૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ યોજાશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાહેરનામું બહાર પાડવાની તારીખ ૭ જુલાઈ, ૨૦૨૬ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪ જુલાઈ, ૨૦૨૬ છે. નામાંકનની ચકાસણી ૧૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ કરવામાં આવશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ છે. મતદાન ૨૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે અને ગણતરી સાંજે ૫ વાગ્યે થશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રિટ‹નગ ઓફિસર દ્વારા પૂરી પાડવામાં આવેલી પૂર્વ-નિર્ધારિત સ્પષ્ટીકરણો સાથે ફક્ત સંકલિત જાંબલી સ્કેચ પેનનો ઉપયોગ મતપત્ર પર તેમની પસંદગી ચિહ્નત કરવા માટે કરવામાં આવશે. ઉપરોક્ત ચૂંટણીઓમાં કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
જાહેરનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “રાજ્યસભા સહિત તમામ ગૃહો માટેની પેટાચૂંટણી ખાલી જગ્યાઓને અલગ ખાલી જગ્યા ગણવામાં આવે છે, અને દરેક ખાલી જગ્યા માટે અલગ સૂચનાઓ જારી કરવામાં આવે છે, અને અલગ ચૂંટણીઓ યોજવામાં આવે છે, જાકે પેટાચૂંટણીનો કાર્યક્રમ સમયપત્રક સમાન હોઈ શકે છે.”