પંચમહાલ ભાજપ એસ.ટી. મોરચાના ૨૫ કારોબારી સભ્યો નિયુક્ત યાદી જાહેર કરાઈ

ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જીલ્લા અનુસૂચિત જનજાતિ (st) મોરચાના ૨૫ નવા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો જીલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા અને જીલ્લા અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ સાથેની ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે. તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નવનિયુક્ત કારોબારી સભ્યોમાં વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરોનો સમાવેશ થાય છે.

રાઠવા વિક્રમભાઈ દલુભાઈ (ઘોઘંબા), ભાભોર પ્રભાતભાઈ સોમાભાઈ (મોરવા હડફ), રાઠવા મનીષાબેન લક્ષ્મણભાઈ (ઘોઘંબા), બામણીયા જયદીપસિંહ અભેસિંહ (શહેરા) અને રાઠવા રાજેશ્રીબેન હેમતભાઈ (ઘોઘંબા).આ ઉપરાંત રાઠવા દિલીપભાઈ અલસિંગભાઈ (ઘોઘંબા), ઝાલેયા દિનેશભાઈ નર્વતભાઈ (મોરવા હડફ), રાઠવા મહેશભાઈ દલાભાઈ (હાલોલ), ડામોર દેવજીભાઈ રંગજીભાઈ (ગોધરા) અને રાઠવા રમેશભાઈ રડતાભાઈ (ઘોઘંબા) નો પણ સમાવેશ થાય છે.અન્ય સભ્યોમાં નાયક વેચાતભાઈ રણછોડભાઈ (કાલોલ), રાઠવા નરેશભાઈ બચુભાઈ (ઘોઘંબા), રાઠવા શારદાબેન.બી (ઘોઘંબા), રાઠવા ગણપતભાઈ મનુભાઈ (હાલોલ) અને રાઠવા સુનીલભાઈ રમેશભાઈ (ઘોઘંબા) નો સમાવેશ થાય છે.

વધુમાં, ચારેલ લક્ષ્મણભાઈ રતનભાઈ (ગોધરા), નાયક ભુપતભાઈ ચુનાભાઈ (મોરવા હડફ), રાઠવા ધર્મેશભાઈ કનુભાઈ (ઘોઘંબા), રાઠવા સંજયભાઈ વલસિંગભાઈ (ઘોઘંબા) અને રાઠવા કાન્તીભાઈ રંગાભાઈ (ઘોઘંબા) ને પણ જવાબદારી સોંપવામાં આવી છે.અંતે, રાઠવા વિનોદભાઈ ભઈલાલભાઈ (ઘોઘંબા), રાઠવા કનુભાઈ ઠેડુભાઈ (જાંબુઘોડા), રાઠવા બજીબેન કનુભાઈ (જાંબુઘોડા), નાયક શકુનાબેન ભારતભાઈ (જાંબુઘોડા) અને તડવી નારાયણભાઈ અંદરાભાઈ (જાંબુઘોડા)ને પણ કારોબારી સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે.