તમિલનાડુના ખેડૂતોની ૭૫,૦૦૦ સુધીની લોન માફઃ ૧૩.૩૪ લાખ ખેડૂતોને લાભ મળશે; મુખ્યમંત્રી વિજયની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી સી. વિજય જાસેફે સોમવારે રાજ્ય વિધાનસભામાં પાક લોન માફી યોજનાના વિસ્તરણની જાહેરાત કરી. આ સાથે, કુલ નાણાકીય સહાય વધીને ૬,૨૨૦ કરોડ થઈ ગઈ છે. રાજ્યભરના ૧૩.૩૪ લાખ ખેડૂતોને તેનો લાભ મળશે.

મુખ્યમંત્રી વિજય જાસેફે કહ્યું કે તેમની સરકાર તેના ૧૦૦ દિવસના કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે અને ગામડાઓમાં લોકોની આજીવિકા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ખેડૂતો અને કૃષિનું કલ્યાણ તમિલનાડુ વેત્રી કઝગમ (ટીવીકે) સરકારની ટોચની પ્રાથમિકતા છે.

વિજયે કહ્યું, “જા તમિલનાડુના લોકો આપણું જીવન છે, તો ખેડૂતો આપણી જીવનરેખા છે.” ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવું, તેમના દેવાનો બોજ ઘટાડવો અને ખેતીને મજબૂત બનાવવી એ આ સરકારની સૌથી મોટી જવાબદારીઓમાંની એક છે.

તેમણે કહ્યું કે સહકારી બેંકોમાંથી ૭૫,૦૦૦ સુધીની પાક લોન લેનારા ખેડૂતોનું હવે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે નવી સિસ્ટમ હેઠળ, ૭૫,૦૦૦ થી ૧ લાખ સુધીની લોન પર મહત્તમ ૭૫,૦૦૦ ની માફી આપવામાં આવશે. આનાથી ૨૩૮,૨૬૪ ખેડૂતોને ૪૦,૦૦૦ સુધીનો વધારાનો લાભ મળશે.

૧ લાખથી વધુની લોન માટે ૩૫,૦૦૦ ની નિશ્ચિત માફી આપવામાં આવશે. વધેલી લોન માફીની જાગવાઈથી યોજનામાં ૯૫૩.૦૬ કરોડનો ઉમેરો થયો છે. આ યોજનાનો કુલ ખર્ચ હવે ૬,૨૨૦ કરોડ થશે. ૩૧ જુલાઈ સુધીમાં, ૫,૨૬૭ કરોડ સીધા ૧૩.૩૪ લાખ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું, “તમિલનાડુના ખેડૂતોનું કલ્યાણ આ સરકારનું કલ્યાણ છે તે સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, સરકાર ૧૩.૩૪ લાખ ખેડૂતોને કુલ ૬,૨૨૦

કરોડ રૂપિયાની પાક લોન માફ કરી રહી છે.” આ યોજનાના લોન્ચ અંગે, મુખ્યમંત્રી વિજયે કહ્યું કે ૨૫ મેના રોજ સરકાર બનાવ્યાના ૧૫ દિવસની અંદર, સરકારે સૌપ્રથમ ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લોન માફ કરી. ત્યારબાદ, ખેડૂત સંગઠનો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી, ૧૯ જૂનના રોજ યોજનાનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો