
વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ – મંત્રી કૌશિકભાઈ વેકરિયા.
નવા સબસ્ટેશનના નિર્માણથી આસપાસના ૧૬ જેટલા ગામોના લગભગ ૫૮૫૫ કરતા વધુ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે – મંત્રી કૌશિકભાઈ વેકરિયા.

રાજ્યના છેવાડાના માનવી અને ગ્રામીણ વિસ્તારો સુધી માળખાગત સુવિધાઓ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ અંતર્ગત મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના આંબા મુકામે નવનિર્મિત ૬૬ કેવી સબસ્ટેશનનું રાજ્યકક્ષાનાકાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિક વેકરિયાના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં શ થયેલ ‘જ્યોતિગ્રામ યોજના’ થકી આજે ગુજરાતના ખૂણે ખૂણે ૨૪ કલાક વીજળી પહોંચી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં દર વર્ષે ૮૦ થી ૧૦૦ જેટલા નવા સબસ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી, પરંતુ તે ખેડૂતોની સમૃદ્ધિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને ઉદ્યોગોની પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ છે.

નવા સબસ્ટેશનની વિશેષતાઓ અને લાભ વિષે જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લગભગ ૪૯૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ આ નવું સબસ્ટેશન ૩૦ એમવીએ (MVA) ક્ષમતા ધરાવે છે. આ સબસ્ટેશનમાંથી કુલ ૫ નવા ૧૧ કેવી ફીડરો કાર્યરત કરવામાં આવશે, જેમાં ૩ જ્યોતિગ્રામ ફીડર અને ૨ ખેતીવાડી ફીડરનો સમાવેશ થાય છે. આ નવા સબસ્ટેશનના નિર્માણથી આસપાસના ૧૬ જેટલા ગામોના લગભગ ૫૮૫૫ કરતા વધુ વીજ ગ્રાહકોને સીધો ફાયદો થશે. વોલ્ટેજની સમસ્યાઓ હલ થશે, લાંબા ફીડરોના કારણે થતા ટેક્નિકલ લોસમાં ઘટાડો થશે અને ભવિષ્યમાં નવા ઘરેલુ, કૃષિ અને ઔદ્યોગિક વીજ જોડાણો સહેલાઈથી મળી શકશે.
મંત્રીશ્રીએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની વાત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન સામે મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવીને સરકારે ખેડૂતો પ્રત્યેની પોતાની કટિબદ્ધતા સાબિત કરી છે.

આ લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, આંબા ખાતે ૬૬ કે.વી. સબ-સ્ટેશન કાર્યરત થવાથી સંતરામપુર અને આસપાસના ૧૬ જેટલા ગામોના ખેડૂતો અને નાગરિકોને સીધો લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, પૂરતી અને સાતત્યપૂર્ણ વીજળી મળવાથી ખેતી, સિંચાઈ, સ્થાનિક ઉદ્યોગો અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં મોટો ફાયદો થશે. તેમણે ઓગસ્ટ ૨૦૨૫માં મંજૂર થયેલા આ પ્રોજેક્ટને માત્ર એક જ વર્ષમાં પૂર્ણ કરી ઓગસ્ટ ૨૦૨૬માં તેનું લોકાર્પણ કરવા બદલ ઊર્જા વિભાગ અને જેટકો (GETCO) ની કામગીરીની સરાહના કરી હતી.
આ લોકાર્પણ પ્રસંગે અગ્રણીશ્રી દશરથભાઈ બારીયાજેટકો (GETCO) ના અધિકારી શ્રી વી.કે. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.