ખેતીની જમીનના કાયદામાં ‘આમૂલ પરિવર્તન’ની તૈયારી: હવે ગુજરાતમાં બિન-ખેડૂતો પણ ખરીદી શકશે જમીન?

ગુજરાત સરકાર રાજ્યમાં જમીન સંપાદન, માલિકી અને મહેસૂલી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કમર ક્સી રહી છે. એપ્રિલ ૨૦૨૫માં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાના અને પ્રિમિયમ મુક્તિના ઐતિહાસિક નિર્ણય બાદ હવે સરકાર ગણોત ધારા અને જમીન મહેસૂલ અધિનિયમ જેવા દાયકાઓ જૂના કાયદાઓમાં ’આમૂલ પરિવર્તન’ કરવાની તૈયારી કરી રહી છે.

મહેસૂલ વિભાગે કાયદાકીય જટિલતાઓ દૂર કરવા માટે બે અલગ-અલગ સમિતિઓની રચના કરી છે, જેનું નેતૃત્વ અનુભવી નિવૃત ૈંછજી અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. આ સમિતિ ’ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯’ માં સુધારા કરી નવો સંકલિત કાયદો તૈયાર કરશે. આ સમિતિ ’ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮’ સહિતના અન્ય મહેસૂલી કાયદાઓમાં સુધારા માટે કામ કરશે.

આ સુધારાનો સૌથી મહત્વનો પાસું ’બિનખેડૂત’ વ્યક્તિઓ માટે ખેતીની જમીન ધારણ કરવાની જોગવાઈ હોઈ શકે છે. હાલના નિયમો મુજબ, ગુજરાતમાં જે વ્યક્તિ જન્મથી ખેડૂત નથી, તે ખેતીની જમીન ખરીદી શક્તી નથી. સરકાર હવે આ નિયમમાં ઢીલ આપીને બિનખેડૂતો ખેતીની જમીન ધારણ કરી શકે તે માટેના વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. બદલાતા સમય સાથે અપ્રસ્તુત થઈ ગયેલા કાયદાઓ અને ઠરાવોને દૂર કરી, કોર્ટના ચુકાદાઓને યાનમાં રાખીને પ્રજાલક્ષી જોગવાઈઓ અમલી બનાવવી.

આ બંને સમિતિઓ આગામી ૬ મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ પ્રક્રિયા દરમિયાન ગુજરાત ક્સિાન સંઘ, ક્રેડાઈ બિલ્ડર એસોસિયેશન અને બાર એસોસિયેશન (વકીલ મંડળો) સમિતિઓ નીચે મુજબના હિતધારકો સાથે બેઠકો યોજશે.

જૂના કાયદાઓના અર્થઘટનમાં થતી વિસંગતતાઓને કારણે હજારો કેસો કોર્ટમાં લંબિત છે. પ્રિમિયમ અને મંજૂરીની પ્રક્રિયાઓ સરળ થવાથી વહીવટી પારદર્શક્તા વધશે. જમીન વ્યવહારો સરળ થવાથી ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નવા રોકાણો આવવાની શક્યતા છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આ સમિતિઓએ કામગીરી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં ગુજરાતમાં જમીન લે-વેચ અને માલિકીના હક્કોમાં એક નવા યુગની શરૂઆત થઈ શકે છે.