
કેન્દ્રીય કર્મચારીઓની વચ્ચે આ સમયે ૮માં પગારપંચની ખૂબ ચર્ચા થઇ રહી છે. આયોગ પણ ખૂબ જ સક્રિય નજર આવી રહ્યુ છે. છેલ્લા કેટલા દિવસોમાં મોટી બેઠક દિલ્હી ખાતે થઇ હતી. આ ચર્ચાઓની વચ્ચે બંગાળના કર્મચારીઓને પણ નજીકના દિવસોમાં ખુશખબર મળી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓથી રાજ્યમાં ૭માં પગારપંચ લાગૂ કરવાની ગેરન્ટી આપી હતી. હવે આજે ૪ મે જ્યારે ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે ત્યારે બંગાળમાં બીજેપી મોટી જીતની તરફ આગળ વઘી રહી છે. તેવામાં ભાજપની સરકાર બનવા પર બંગાળના કર્મચારીઓ ૭માં પગારપંચને થોડા દિવસોમાં જલ્દી મળી શકે છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પુરબા મિદનાપુરમાં એક જનસભામાં ભાષણ આપતા કહ્યું છે કે, રાજ્યમાં ભાજપની સરકાર બનતા ૭માં પગારપંચનું ગઠન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ બંગાળના પ્રચાર દરમિયાન ૬ ગેરન્ટીની વાત કહી છે. આ ગેરન્ટીમાં આખરી નંબર પર ૭માં વેતન આયોગથી જોડેયલ આશ્વાસન પણ આપ્યુ છે.
પશ્ચિમ બંગાળમાં છઠ્ઠાં પગાર પંચની અનુશંસાના આધાર પર પગાર મળે છે. તેવામાં જો રાજ્યમાં ૭માં પગારપંચની સિફારિશોના આધાર પર સેલેરી મળે છે. તો રાજ્ય કર્મચારીઓને તેનો બંપર ફાયદો થશે. હવે જોવાનું રહેશે કે બંગાળની નવી સરકાર ક્યારે ૭માં પગાર પંચનું ગઠન કરે છે. સાથે જ વઘેલી સેલેરી ક્યારથી મળવાનું શરુ થશે.
કેન્દ્રીય કર્મચારીઓની આ સમયે ૮માં પગાર પંચ પર નજર ટકેલી છે.એનસી જેસીએમએ છેલ્લા દિવસો દિલ્હીમાં પગારપંચની સાથે એક મોટી બેઠક છે. આ મીટિંગમાં કર્મચારી સંગઠનોને સેલેરી વધારશે, રિટાયરમેન્ટ, ફિટમેન્ટ ફેક્ટર્સ વગેરે પર પોતાના ડિમાન્ડને પગાર પંચથી ઓળખ કરાવી. ૮માં પગાર પંચનું ગઠન નવેમ્બર ૨૦૨૫માં કર્યુ હતું. તેની પે કમીશનની પાસે ૧૮ મહિનાનો સમય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારનુ પગાર પંચ એક જ રહે તે જરુરી નથી. કેરળમાં આ સમયે ૧૧મું પગાર પંચ લાગુ છે. જ્યારે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને હજી ૭માં પગારપંચથી હિસાબથી સેલેરી આપી રહી છે. રાજ્ય પોતાની બજેટ હિસાબથી પગાર પંચ જોડાયા કરે છે. બંગાળમાં આ સમયે છઠું પગાર પંચ લાગૂ છે.