આપણે લઘુમતીઓ, તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર હુમલાઓ જોઈ રહ્યા છીએ. આ ચિંતાજનક વલણ છે. અમે એનર્જી સોસગને લઈને ભારતના વલણને દુનિયા જાણે છે,વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગને સંબોધિત કર્યું. બ્રીફિંગ દરમિયાન, તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી. જયસ્વાલે કહ્યું, આપણે લઘુમતીઓ, તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર હુમલાઓ જોઈ રહ્યા છીએ. આ ચિંતાજનક વલણ છે. આવી સાંપ્રદાયિક ઘટનાઓનો તાત્કાલિક અને મજબૂત રીતે ઉકેલ લાવવો જોઈએ. આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવવાની વૃત્તિ ચિંતાજનક છે. આ અજ્ઞાન ગુનેગારોને વધુ હિંમત આપે છે અને લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવનાને વધારે છે.

વિદેશ મંત્રાલયે યુએસ કોંગ્રેસમાં રશિયન તેલની ખરીદી પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાના બિલનો પણ જવાબ આપ્યો. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે પ્રસ્તાવિત બિલથી વાકેફ છીએ. અમે વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ઉર્જા ોતોના વ્યાપક મુદ્દા પર અમારી સ્થિતિ જાણીતી છે. આ પ્રયાસમાં, અમે બદલાતી વૈશ્ર્વિક બજાર પરિસ્થિતિઓ અને ૧.૪ અબજ લોકોની ઉર્જા સુરક્ષા જરૂરિયાતો બંનેથી વાકેફ છીએ, ખાતરી કરીએ છીએ કે આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ ોતોમાંથી સસ્તું ઉર્જા ઉપલબ્ધ થાય.

એમઇએ પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ શક્સગામ ખીણમાં ચીની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, શક્સગામ ખીણ ભારતીય ક્ષેત્ર છે અને અમે શક્સગામ ખીણમાં જમીની વાસ્તવિક્તા બદલવાના પ્રયાસો સામે ચીની પક્ષ સમક્ષ સતત વિરોધ કર્યો છે.

તાઇવાન નજીક ચીની લશ્કરી કવાયતો અંગે, જયસ્વાલે કહ્યું, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં રસ છે, કારણ કે આપણા વેપાર, આથક અને દરિયાઈ હિતો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ભારત તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવા, એકપક્ષીય કાર્યવાહી ટાળવા અને બળજબરી કે ધાકધમકી વિના શાંતિપૂર્ણ રીતે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા વિનંતી કરે છે.

તેમણે એવી પણ જાહેરાત કરી કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

અમેરિકાના ૫૦૦ ટકા ટેરિફ બિલ પર ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યુ કે અમને આ બિલ વિસે જાણકારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ કે યુરેનિયમ જેવી વસ્તુની આયાત કરનાર દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપી છે. ભારત, ચીન અને બ્રાઝીલ રશિયન તેલ અને યુરેનિયમના મોટા આયાતક છે. જો આ બિલ પાસ થયું તો આ દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે. તેને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યુ- એનર્જી ોતના મોટા સવાલ પર અમારૂ વલણ જગજાહેર છે. અમે ગ્લોબલ માર્કેટના બદલાતા ડાયનામિક્સ અને અમારા ૧.૪ અબજ ભારતીય લોકોની એનર્જી સુરક્ષાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અલગ-અલગ ોતથી સસ્તી એનર્જી હાસિલ કરવાનું માર્ગદર્શન મેળવીએ છીએ.

વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતની ઉર્જા નીતિ કોઈના દબાવમાં બદલાશે નહીં. અમારૂ યાન તે વાત પર છે કે ભારતના લોકોને સસ્તી ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે દુનિયાભરની બજારો પર નજર રાખી રહ્યું છે.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર પર વિદેશ મંત્રાલયે કહ્યું- અમે જોઈ રહ્યાં છીએ કે ઉગ્રવાદીઓ દ્વારા અલ્પસંખ્યકોની સાથે-સાથે તેના ઘરો અને વ્યાવસાયો પર વારંવાર હુમલા થઈ રહ્યાં છે. આવા સાંપ્રદાયિક મામલા સાથે કડક વર્તન કરવું જોઈએ. અમે જોયું કે આવી ઘટનાઓને અંગત દુશ્મની, રાજનીતિક મતભેદો કે બાહરી કારણો સાથે જોડવાની એક પરેશાન કરનારી પ્રવૃત્તિ છે. તેને નજરઅંદાજ કરવાથી ગુનેદારોનો જુસ્સો વધે છે અને અલ્પસંખ્યકો વચ્ચે ડર અને અસુરક્ષાની ભાવના વધે છે.

તાઇવાનની સરહદની પાસે ચીની સૈન્ય અભ્યાસો પર વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં થઈ રહેલા ઘટનાક્રમો પર નજર રાખી રહ્યાં છે. અમારા મહત્વપૂર્ણ વ્યાપાર, આથક, લોકો વચ્ચે સંબંધો અને સમુદ્રી હિતોને જોતા આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતામાં વધુ રસ છે. અમે બધા સંબંધિત પક્ષોને શાંતિ રાખવા, એક્તરફી કાર્યવાહી કરવાથી બચવા અને કોઈ ધમકી કે બળ પ્રયોગ વગર બધા મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે હલ કરવાનો આગ્રહ કરીએ છીએ.