અમદાવાદી ઓએ ધાબા પર કરી આતશબાજી, દિવાળી જેવો માહોલ સર્જાયો

અમદૃાવાદૃમાં વહેલી સવારથી પવન ન હોવા છતાં પતંગ રસિકો ધાબા પર ચઢી ખાણી-પીણીની રંગત જમાવી હતી. જો કે બપોર બાદૃ પવનની ગતિ થોડી વધતાં ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો, આ પછી સાંજ થતાં જ અમદૃાવાદૃના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, શહેરનું આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.

લોકોએ સ્કાય શૉટ સહિતના મલ્ટિપલ ફટાકડા ફોડ્યા હતા. કોઈએ કોઠીઓ સળગાવી તો કોઈએ ગરબા અને ડાન્સ કરી ઉમળકાભેર ઉત્તરાયણના પર્વને અલવિદ કહૃાું હતું, જો કે ઉત્તરાયણના બીજા દિૃવસે પણ વાસી ઉત્તરાયણની પ્રથા જોવા મળે છે ત્યારે કાલે પવન અનુકૂળ રહે તેવી પતંગ રસિકો આશા સેવી રહૃાા છે.

આકાશમાં પેચ લડાવવા આતુર શહેરીજનોને આજે ઉત્તરાયણના દિવસે પવનની ગતિનો સાથ મળ્યો ન હતો તેમ છતાં પણ ઉત્સાહમાં કોઈ ઉણપ ન હતી. એકતા ગજેરાએ પોતાનો અનુભવ જણાવતા કહૃાું હતું કે, ’સવારથી અગાશી પર આવ્યા હોવા છતાં પવન ન હોવાને કારણે તેઓ નિરસતાનો અનુભવ થયો અને આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નથી. પતંગો ઉડતી ન હોવાથી મિત્રો સાથે મળીને મસાલેદૃાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓની જયાફત ઉડાવીને મોજ-મસ્તી કરી હતી.

અમદૃાવાદૃની ઉત્તરાયણ અંગે અંકુર કુંડલિયાએ જણાવ્યું કે, ’સવારથી પવન થોડો ઓછો હતો, પરંતુ અમદૃાવાદૃની ઉત્તરાયણ હોવાથી ખૂબ મજા આવી હતી. પવનની ગતિ ઓછી હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આકાશમાં પતંગોની સંખ્યા ઓછી દૃેખાઈ છતાં આ તહેવારના માહોલથી સંતુષ્ટ છું.’

પવન વિશે વાત કરતા અલકા કુંડલિયાએ જણાવ્યું કે,સામાન્ય દિૃવસો કરતા પણ પવન સાવ ઓછો હતો, જેના કારણે આકાશમાં પતંગો જોઈએ તેવી ઉડી નથી. વાસી ઉત્તરાયણમાં સારો પવન હશે તેવી આશા છે.’