યુરોપ નાતાલના દિવસે, ઝેલેન્સકીએ પુતિન ના મૃત્યુ માટે પ્રાર્થના કરી, વિશ્વ સમક્ષ શાંતિ માટે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ નાતાલના આગલા દિવસે એક સંદેશ જારી કર્યો જેણે વિશ્ર્વનું યાન ખેંચ્યું છે. આ સંદેશમાં, ઝેલેન્સકીએ માત્ર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મૃત્યુની શુભેચ્છા પાઠવી ન હતી, પરંતુ ૨૦-મુદ્દાની યોજના પણ રજૂ કરી હતી, જે યુદ્ધનો અંત લાવવા માટે એક મોટો સમાધાન પ્રસ્તાવ છે.

ઝેલેન્સકીએ કહ્યું, રશિયાએ ગમે તેટલું દુ:ખ પહોંચાડ્યું હોય, તે આપણા યુક્રેનમાં હૃદય, આપણા વિશ્ર્વાસ અને આપણી એક્તાને નષ્ટ કરવામાં સક્ષમ નથી. પુતિનનું નામ લીધા વિના, તેમણે તીવ્રતાથી કહ્યું, આજે આપણા બધાનું એક જ સ્વપ્ન અને એક જ ઇચ્છા છે: ’તેનો અંત આવે,’ જેમ દરેક વ્યક્તિ પોતાના હૃદયમાં કહે છે. તેમણે વધુમાં કહ્યું, અમે ભગવાનને તે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ જેના માટે આપણે લડી રહ્યા છીએ અને લાયક છીએ.

ઝેલેન્સકીનું આ તીક્ષ્ણ નિવેદન રશિયા દ્વારા તાજેતરના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ પછી આવ્યું છે. મંગળવારે, રશિયાએ કિન્ઝાલ મિસાઇલો અને શાહેદ ડ્રોનથી યુક્રેન પર મોટો હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને મોટા પાયે વીજળી ગુલાંટ થઈ ગઈ. ઝેલેન્સકીએ તેને અધર્મીઓ દ્વારા હુમલો ગણાવ્યો.

ઝેલેન્સકીએ પત્રકારો સાથેની બ્રીફિંગમાં યુદ્ધ બંધ કરવા માટે ૨૦-મુદ્દાની યોજના શેર કરી. તેમણે કહ્યું કે યુક્રેન તેના પૂર્વીય ઔદ્યોગિક ક્ષેત્ર (ડોનબાસ) માંથી તેના સૈનિકો પાછા ખેંચવા માટે તૈયાર છે. જો કે, તેમણે કહ્યું કે આ ત્યારે જ શક્ય બનશે જો મોસ્કો પણ તેના સૈનિકો પાછા ખેંચે અને આ પ્રદેશ આંતરરાષ્ટ્રીય દળોની દેખરેખ હેઠળ એક બિનલશ્કરીકરણ ક્ષેત્ર બની જાય. તેમણે ઉમેર્યું કે ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ (જે હાલમાં રશિયન નિયંત્રણ હેઠળ છે) પર પણ આ જ મોડેલ લાગુ કરી શકાય છે. ઝેલેન્સકીએ સ્પષ્ટતા કરી કે કોઈપણ શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં યુક્રેનમાં જનમત યોજવામાં આવશે.