
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.અચાનક રચના સર્કલ નજીક આવેલા ભરતનગરમાં એક ઔદ્યોગિક એકમમાં આગ લાગવાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.આ ફેક્ટરીની અંદર બે ગેસ સિલિન્ડર ફાટ્યાનો બનાવ બન્યો છે, જેના કારણે બે લોકોના મોત થયા છે.
આજે સવારે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ ફાયર વિભાગને કોલ મળ્યો, જેમાં કાપોદ્રાના રચના સર્કલની બહાર આવેલા ભરતનગરમાં મારુતિ ચોક પાસે ખાસ કરીને ગૌશાળા પાસે આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જાતાં, તાત્કાલિક ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ઇમારતની અંદર એક એલપીજી સિલિન્ડર ફાટ્યો હતો. આ વિસ્ફોટના પરિણામે, આગ વધુ તીવ્ર બની અને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન, ઘટનાસ્થળેથી કુલ આઠ સિલિન્ડર મળી આવ્યા હતા; પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમાંથી બે વિસ્ફોટ થયા હતા. બાકીના છ સિલિન્ડર સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસને સોંપવામાં આવ્યા હતા.
આ આગ ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફ્લોર બિલન્ડીંગમાં લાગી હતી, જેમાં વિવિધ ઓપરેશનલ વિભાગો આવેલા છે. ત્રીજા માળે આવેલા શીટ-મેટલ શેડમાં ઘણા લોકો ફસાઈ ગયા. હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, ફાયર વિભાગની ટીમે ત્રીજા માળે શીટ-મેટલ સ્ટ્રક્ચર તોડીને ઇમારતમાં પ્રવેશ કર્યો. પોતાના જીવને જાખમમાં મૂકીને, ફાયર ટીમે કુલ ૧૧ લોકોને સફળતાપૂર્વક બચાવ્યા. દુઃખદ વાત એ છે કે, બચાવેલા વ્યક્તિમાંથી બે વ્યક્તિઓનું મોત નીપજ્યું,જ્યારે બાકીના નવ લોકોને નાની ઇજાઓ સાથે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.