સામાન્ય જનતા પાસે પેલેટ ગન વિશે સચોટ માહિતીનો અભાવ છે,દિલ્હી પોલીસ મહાસંઘ

કુક્રેતીએ સમજાવ્યું કે જ્યારે ભીડ હિંસક બને છે, ત્યારે ભીડનો દરેક સભ્ય જવાબદાર હોય છે

દિલ્હી પોલીસ મહાસંઘે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં, ભૂતપૂર્વ એસીપી કેપી કુકરેતીએ પોલીસ કાર્યવાહી અંગે સંસદમાં રાજકારણીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ નેતાઓ પોલીસ અધિકારીઓ કે કાયદાકીય નિષ્ણાતો નથી.કુક્રેતીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર સીધા આરોપ લગાવવાના નિવેદનોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. તેમણે પેલેટ ગન વિશે જાહેર ગેરસમજાને પણ દૂર કરી.

કુક્રેતીએ સ્પષ્ટતા કરી કે સામાન્ય જનતા પાસે પેલેટ ગન વિશે સચોટ માહિતીનો અભાવ છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી પર સીધા આરોપ લગાવવાને ભ્રામક ગણાવ્યું.ભૂતપૂર્વ એસીપીએ વિદ્યાર્થીઓના બંધારણીય અને મૂળભૂત અધિકારોને ટેકો આપ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે વિરોધ પ્રદર્શન થાય છે અને થવા જાઈએ. જાકે, તેમણે ભીડ નિયંત્રણને એક અલગ મુદ્દો ગણાવ્યો. કુક્રેતીએ જણાવ્યું હતું કે ભીડને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જ્યારે તેઓ હિંસક અને અનિયંત્રિત બને છે, ત્યારે પરિસ્થિતિ બદલાય છે.

કુક્રેતીએ સમજાવ્યું કે જ્યારે ભીડ હિંસક બને છે, ત્યારે ભીડનો દરેક સભ્ય જવાબદાર હોય છે. તેમણે કહ્યું કે જ્યારે ભીડ ઉગ્ર બને છે, પથ્થરો, લાકડીઓ અને અન્ય વસ્તુઓ ફેંકે છે, બેરિકેડ તોડે છે અને આઈપીસીની કલમ ૧૬૩ હેઠળ ચેતવણીઓને અવગણે છે, ત્યારે કાયદો બિનઅસરકારક છે. આવી Âસ્થતિમાં, પોલીસ પાસે ખૂબ ઓછા વિકલ્પો બચે છે. તેમણે કહ્યું કે આત્યંતિક પરિસ્થિતિઓમાં, ગોળીબાર અનિવાર્ય હોઈ શકે છે અને કાયદો પણ તેની મંજૂરી આપે છે.

ભૂતપૂર્વ એસીપીએ ભાર મૂક્્યો કે જ્યારે પોલીસ અધિકારીનો જીવ સીધો ખતરામાં હોય છે, ત્યારે તેમને સ્થળ પર જરૂરી કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે. આવા સમયે, રાજ્યપાલ, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી હાજર હોતા નથી. જમીન પરના વરિષ્ઠ અધિકારીએ પોતાના જીવન, જનતા અને જાહેર સંપત્તિની સુરક્ષા માટે નિર્ણય લેવાનો હોય છે. કુક્રેતીએ લોકો દ્વારા સંસદ પર થયેલા હુમલાને અરાજકતાનું સૌથી મોટું કૃત્ય ગણાવ્યું.