ચંદ્રોડા ગામમાં એસઆઇઆર કામગીરીથી રાજકીય તણાવ, ૧૮૦૦માંથી ૫૬૨ મતદારોના નામ કમી

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં એસઆઇઆર કામગીરીની ધમાલ વચ્ચે, મતદાર યાદી સુધારણાનો મુદ્દો હવે નોંધપાત્ર રાજકીય અને સામાજિક તણાવ પેદા કરી રહૃાો છે.ગામના આશરે ૧૮૦૦ મતદારોમાંથી ૫૬૨ સામે ગામની બહારના વ્યક્તિઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

આશ્ર્ચર્યજનક રીતે,ચંદ્રોડા ગામમાં આવેલી બધી ૫૬૨ વાંધા અરજીઓ ગામના કોઈ રહેવાસી દ્વારા નહીં, પરંતુ બહુચરાજી મામલતદૃાર કચેરીમાં બહારના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગ્રામજનોનો આરોપ છે કે શાસક પક્ષના ઈશારે ગરીબ ખેડૂતો અને લઘુમતી સમુદાયના સભ્યોને હેરાન કરવામાં આવી રહૃાા છે.સ્થાનિક રહેવાસીઓ નાગોરી અમીરખાન અને બાનુભાઈ મુજબ, ચંદ્રોડા એ લઘુમતી બહુમતી વસ્તી ધરાવતું ગામ છે.

ખેતી સાથે સંકળાયેલા પરિવારો પેઢીઓથી અહીં રહે છે. જો કે, એવું બહાર આવ્યું છે કે ચૂંટણી પંચે રહેઠાણ પરિવર્તન જેવા ખોટા કારણો આપીને મતદાર યાદૃીમાંથી ઘણા મતદૃારોના નામ કાપી નાખ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ તેમના પૂર્વજોના સમયના દૃસ્તાવેજો રજૂ કરીને તેમના રહેઠાણનો પુરાવો આપવાની પણ તૈયારી કરી છે.

ગામના સરપંચ પ્રહલાદ પરમારે આ મામલે વહીવટીતંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રહલાદ પરમાર અનુસાર અજાણ્યા વ્યક્તિઓએ આ અરજીઓ દાખલ કરીને વર્ષોથી ગામમાં રહેતા લોકોના લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.ગ્રામજનો તાલુકા ચૂંટણી અધિકારીને મળ્યા છે અને આ અન્યાય સામે પોતાની િંચતા વ્યક્ત કરવા માટે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો પણ સંપર્ક કર્યો છે. હાલમાં, આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે, અને ગ્રામજનોએ ધમકી આપી છે કે જો તેમના નામ ખોટી રીતે મતદૃાર યાદૃીમાંથી દૃૂર કરવામાં આવશે તો તેઓ વિરોધ કરશે.