અપ્રમાણસર સંપત્તિનો કેસઃ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેમના વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના આરોપોની તપાસ કરવાના આદેશને પડકાર્યો છે.આ આરોપો ભાજપના એક કાર્યકર્તા દ્વારા લગાવવામાં આવ્યા હતા,

જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી તેમની આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે.લાઈવ લોના અહેવાલ મુજબ, કોર્ટે કર્ણાટકના ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે સીબીઆઇ અને ઈડીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મે મહિનામાં હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જા અરજદારની ફરિયાદ મળે છે, તો તેમાં કરાયેલા આરોપોની કાયદા અનુસાર તપાસ થવી જાઈએ. કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઇ અથવા ઈડી કાયદા હેઠળ જરૂરી પગલાં લઈ શકે છે.આ પછી, હાઈકોર્ટે બંને તપાસ એજન્સીઓને તપાસમાં થયેલી પ્રગતિની જાણ કરવા નિર્દેશ આપ્યો હતો.

૨૦ જુલાઈના રોજ તેના અનુગામી આદેશમાં, હાઈકોર્ટે સીબીઆઇના સોગંદનામા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈનું સોગંદનામું તેના અગાઉના નિર્દેશો અનુસાર નથી.હાઇકોર્ટે એમ પણ કહ્યું કે ઈડીએ જરૂરી પગલાં લીધા છે. કોર્ટે કહ્યું કે જા ઈડીને તપાસ દરમિયાન કોઈ માહિતી મળે છે, તો તે કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરી શકે છે. આ પછી, હાઇકોર્ટે આ મામલે વધુ સુનાવણી માટે ૨૦ ઓગસ્ટની તારીખ નક્કી કરી.

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી પણ દાખલ કરી છે, જેમાં આ કેસને અલ્હાબાદ હાઈકોર્ટથી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. બંને અરજીઓ ૭ ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ૧૭ ઓગસ્ટના રોજ તેમની સુનાવણી કરે તેવી અપેક્ષા છે.આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનની બનેલી બેન્ચ દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે.