
અમેરિકાના ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક રાજ્યોએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ને ‘ભારતનો સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો છે. વિશ્વભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહથી શરૂ થઈ રહી છે, ત્યારે આ બંને રાજ્યોએ ભારત અને અમેરિકા વચ્ચેના લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોને માન આપીને આ ઘોષણા કરી છે.
ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં આ જાહેરાતો શેર કરી. દૂતાવાસે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ને ન્યૂ જર્સીમાં ‘ભારતનો સ્વતંત્રતા દિવસ’ જાહેર કરવા બદલ ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલનો આભાર માન્યો.આ ઘોષણા ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય-અમેરિકનોના નોંધપાત્ર યોગદાનને પણ માન્યતા આપે છે. શિક્ષણ, આરોગ્યસંભાળ, સંશોધન, ટેકનોલોજી, વ્યવસાય, જાહેર સેવા અને સમુદાય નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં સમુદાયના યોગદાનને પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ઘોષણામાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધો અને વધતી ભાગીદારી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં શિક્ષણ, વ્યવસાય, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સંબંધોનો ઉલ્લેખ છે.તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો સ્વતંત્રતા દિવસ અસંખ્ય વ્યક્તિઓના હિંમત, દ્રષ્ટિ અને બલિદાનનું સન્માન કરે છે જેમની શાંતિપૂર્ણ સ્વતંત્રતા ચળવળે વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી હતી. આ ચળવળે ન્યાય, સમાનતા અને માનવીય ગૌરવના સાર્વત્રિક સિદ્ધાંતોને પણ મજબૂત બનાવ્યા.
એકસ પર બીજી પોસ્ટમાં, કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે ન્યૂ યોર્ક ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરી રહ્યું છે. આ પ્રસંગ ખાસ કરીને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના લાંબા સમયથી ચાલતા, મજબૂત સંબંધોનું સન્માન કરી રહ્યો છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સમગ્ર ન્યૂ યોર્ક રાજ્યમાં “ભારત સ્વતંત્રતા દિવસ” તરીકે જાહેર કરવા બદલ દૂતાવાસે ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલનો પણ આભાર માન્યો.દૂતાવાસે જણાવ્યું હતું કે આ ઘોષણા ભારતની સ્વતંત્રતા તરફની યાત્રા અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના સહિયારા લોકશાહી મૂલ્યોની ઉજવણી કરે છે. તે ન્યૂ યોર્કમાં ભારતીય-અમેરિકન સમુદાયના નોંધપાત્ર યોગદાનને પણ માન્યતા આપે છે, જેમણે રાજ્યના સાંસ્કૃતિક, આર્થિક અને નાગરિક જીવનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે ભારતનો સ્વતંત્રતાનો માર્ગ અહિંસક વિરોધ, સત્યતા, સ્વ-શિસ્ત અને નૈતિક હિંમત જેવા મૂલ્યો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાથી મોકળો થયો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના સ્વતંત્રતા દિવસની વાર્ષિક ઉજવણી હવે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદિતાનું એક તેજસ્વી ઉદાહરણ બની ગયું છે. વિવિધ પેઢીઓના લોકો રંગબેરંગી ઉજવણીમાં ભેગા થાય છે. તેઓ ભારત અને અમેરિકાની સમૃદ્ધ દેશભક્તિ પરંપરાઓનું ગર્વથી સન્માન કરે છે. આ ઘટનાઓ બે લોકશાહી રાષ્ટÙોને બાંધતા ઊંડા સંબંધોનું પ્રતીક છે.આ ઐતિહાસિક પ્રસંગે “યુવા શÂક્ત” પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને યુવા નાગરિકોની સિદ્ધિઓ અને યોગદાનનું સન્માન કરવામાં આવશે.૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતની ઊંડી ઐતિહાસિક પરંપરાઓ તેમજ દેશની નવી પેઢી અને ભવિષ્ય તરફના તેના પગલાંને ઉજાગર કરશે.