ટ્રેનની છત પર સોલાર પેનલ લગાવવાથી વાર્ષિક ૧૩,૪૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે; ૨.૮ લાખ રૂપિયાની બચત થાય છે

ભારતીય રેલ્વે હવે પર્યાવરણ બચાવવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા તરફ એક મોટું પગલું ભરી રહી છે. એક અનોખી પહેલમાં, ઉત્તર મધ્ય રેલ્વેએ સૌર-સહાયિત પેસેન્જર કોચ વિકસાવ્યો છે. આ કોચની છત પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેનાથી દર વર્ષે હજારો યુનિટ વીજળી ઉત્પન્ન થશે. આનાથી રેલ્વેનો વીજળી ખર્ચ ઘટશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. હાલમાં, તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે.પ્રયાગરાજ ડિવિઝને તાજેતરમાં આ ખાસ કોચ લોન્ચ કર્યો છે. કોચની છત પર ૬.૯૩ કિલોવોટની ક્ષમતાવાળા ૨૧ સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. આ પેનલ દર વર્ષે આશરે ૧૩,૪૦૦ યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે. આ વીજળીનો ઉપયોગ કોચના પંખા, લાઇટ અને અન્ય આવશ્યક ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવશે.

રેલ્વેના જણાવ્યા અનુસાર, એક સોલાર કોચ દર વર્ષે વીજળી ખર્ચમાં આશરે ૨.૮૦ લાખ રૂપિયા બચાવશે. વધુમાં, આ ટેકનોલોજી દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં આશરે ૧૧ ટન ઘટાડો કરશે. આનો અર્થ એ છે કે આ પ્રોજેક્ટ આર્થિક બચત સાથે પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉત્તર મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડા. શિવમ શર્માએ સમજાવ્યું કે જ્યારે સૂર્યપ્રકાશ સૌર પેનલ પર પડે છે, ત્યારે ઉત્પન્ન થતી વીજળી પહેલા બેટરી બેંકમાં સંગ્રહિત થાય છે. તે જ બેટરી પછી કોચની અંદરના પંખા અને લાઇટને પાવર આપે છે. આ પરંપરાગત વીજળી પર નિર્ભરતા ઘટાડે છે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપે છે.મુખ્ય ઇજનેર પુલકિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર મોટાભાગનું કામ રેલ્વેના પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. સૌર પેનલ સીધા કોચની છત પર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેનાથી અલગ માળખાની જરૂરિયાત દૂર થઈ ગઈ. તેમણે ઉમેર્યું હતું કે ઝાંસીમાં બંને મુખ્ય રેલ્વે વર્કશોપ હવે દર મહિને બે સૌર કોચનું ઉત્પાદન કરશે. જેમ જેમ તેનું ઉત્પાદન થશે, તેમ તેમ તેને અલગ અલગ ટ્રેનોમાં સંકલિત કરવામાં આવશે.રેલવે માને છે કે સૌર ઉર્જાનો ઉપયોગ વધારવાથી ભવિષ્યમાં વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે. જા આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે, તો ભવિષ્યમાં દેશભરની ઘણી ટ્રેનોમાં આવા સૌર કોચ જાઈ શકાશે. આનાથી રેલ્વે ખર્ચમાં ઘટાડો થશે, સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન મળશે અને પર્યાવરણીય સંરક્ષણમાં મોટો ફેરફાર આવશે.