સીએમ વિજયના મિત્ર ત્રિશા પર ટિપ્પણી કરવા બદલ ધરપકડના ૪ કલાક પછી તમિલનાડુના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિન મુક્ત

તમિલનાડુના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિનની મંગળવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રી ત્રિશા વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે બપોરે ચેન્નાઈમાં ભારે હોબાળો થયો હતો જ્યારે તમિલનાડુ પોલીસે અભિનેત્રી ત્રિશા વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓના સંદર્ભમાં વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિનની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ, ઉદયનિધિ સ્ટાલિનએ કહ્યું, “હું આનો કાયદેસર રીતે સામનો કરીશ.

હું આ ધરપકડને મજાક માનું છું. ફક્ત હું જ નહીં, પરંતુ છેલ્લા ડીએમકે કાર્યકર પણ કાર્યવાહીથી ડરશે નહીં.” સોમવારે એક રેલીમાં સ્ટાલિનના પુત્રએ અભિનેત્રી વિશે કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ ઉભો કર્યો હતો. જા કે, મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ચાર કલાક પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.ટીવીકેએ ડીએમકે નેતાની વાંધાજનક ટિપ્પણીઓની આકરી ટીકા કરી હતી. એનડીટીવી સાથે વાત કરતા, ટીવીકેના અમેરિકા નારાયણને બદલાના આરોપોને ફગાવી દેતા કહ્યું કે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે ટીવીકે વિરુદ્ધ બોલવા બદલ નહીં, પરંતુ એક મહિલાનું અપમાન કરવા બદલ કરવામાં આવી હતી.

ટીવીકેના એક નેતાએ ઉદયનિધિ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે પોતાનું નામ બદલીને વલ્ગર નિધિ કરવું જાઈએ. સોમવારે, કાવેરી વિવાદ પર તંજાવુરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન, ઉદયનિધિએ મુખ્યમંત્રી જાસેફ વિજય પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે તમિલનાડુને કાવેરી પાણીનું એક પણ ટીપું મળ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી આ મુદ્દા પ્રત્યે ઉદાસીન રહ્યા છે.આ ટિપ્પણીની સખત ટીકા કરતા,ટીવીકેએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખીને ડીએમકે નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. પાર્ટીએ ઉદયનિધિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.એનસીડબ્લ્યુને કરેલી ફરિયાદમાં,ટીવીકે જણાવે છે કે, “ભીડના સૂત્રોચ્ચારથી પ્રેરિત થઈને, ઉદયનિધિ સ્ટાલિન એક સેલિબ્રિટીને નિશાન બનાવતી વાંધાજનક, બેવડી અને અશ્લીલ ટિપ્પણીઓ કરી.

” ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે હાઇ-પ્રોફાઇલ રાજકીય મંચ પરથી આવી ભાષાનો ઉપયોગ જાહેર સ્થળોએ મહિલાઓના વાંધાજનક અને મૌખિક ઉત્પીડનને સામાન્ય બનાવે છે.ઉદયનિધિએ આરોપ લગાવ્યો કે તેમના વિરુદ્ધ ખોટી વાર્તા બનાવવામાં આવી છે. અટકાયત બાદ પત્રકારો સાથે વાત કરતા, ઉદયનિધિએ કોઈપણ અપમાનજનક ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ વિવાદ સંપાદિત અને ભ્રામક સામગ્રીના પ્રસારનું પરિણામ છે. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, “તેઓએ ખોટા સમાચાર ફેલાવવા માટે ‘કટ, કોપી અને પેસ્ટ’નો ઉપયોગ કર્યો હતો કે મેં એવું કંઈક કહ્યું જે મેં ક્્યારેય કહ્યું નથી. હું એવી વ્યÂક્ત નથી જે આ વાતોથી ડરે છે. હું તેનો કાયદેસર રીતે સામનો કરીશ.” તેમણે કહ્યું કે તેમની સામે પોલીસ કાર્યવાહી એક “મજાક” હતી.

ડીએમકે એ ધરપકડને નકારી કાઢતા એક સત્તાવાર નિવેદન જારી કર્યું અને કહ્યું કે આવી કાર્યવાહી બદલો લેવા માટે કરવામાં આવી હતી. ખેડૂતો કાવેરીથી નારાજ છે, અને ટીવીકે સરકાર પાસે કોઈ જવાબ નથી, તેથી જ બિનજરૂરી વિવાદ ઉભો કરીને વિપક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. ઉદય નિધિએ જે કંઈ કહ્યું તે કાવેરી નદીના પાણીના સંદર્ભમાં હતું અને તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કાયદો બધા માટે સમાન છે. ડીએમકે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા સીએમ જાસેફ વિજય સહિત ટીવીકે નેતાઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી? તમિલનાડુ પોલીસની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે.

ઘણા લોકો પોલીસ કાર્યવાહીને વાજબી ઠેરવી રહ્યા છે, કારણ કે તેઓ દયાનિધિ મારનની ટિપ્પણીઓને એક મહિલાના સન્માન સાથે જાડી રહ્યા છે. તેઓ તેમના વિરુદ્ધ કરવામાં આવેલી બેવડી ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જાકે, આ બાબતે લોકોનો એક વર્ગ અલગ મત ધરાવે છે. તેઓ કહે છે કે આ બાબત ટાળી શકાઈ હોત. ઉદયનિધિ સ્ટાલિન સામે ફરિયાદ બાદ, તેમને કડક સૂચનાઓ સાથે મુક્ત કરી શકાતા હતા. જાકે, તેમની ધરપકડથી રાજકીય ઉથલપાથલ વધશે.જાકે,

આ પહેલીવાર નથી જ્યારે ઉદયનિધિ સ્ટાલિન તેમના નિવેદનો માટે મુશ્કેલીમાં મુકાયા હોય. અગાઉ, તેમણે સનાતન ધર્મ વિશે ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે ઘણા રાજ્યોમાં તેમની સામે ફરિયાદો દાખલ થઈ હતી. તે સમયે, ઉદયનિધિએ “સનાતન ધર્મ” ના વિનાશ વિશે નિવેદનો આપીને તેને સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ ગણાવીને આક્રોશ ફેલાવ્યો હતો.

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે તેનો નાશ થવો જાઈએ. તેમણે સનાતન ધર્મની તુલના કોરોનાવાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરજન્ય તાવ સાથે કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે આવી બાબતોનો વિરોધ ન કરવો

આભાર – નિહારીકા રવિયા જાઈએ, પરંતુ તેનો નાશ કરવો જાઈએ. ભાજપે તે સમયે ઉદયનિધિના નિવેદન પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વોટ બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણ માટે સનાતન ધર્મનું અપમાન કરવામાં આવી રહ્યું છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના એક વકીલે ડીએમકે નેતા સામે ફરિયાદ દાખલ કરી હતી.ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનથી ફરી એકવાર વિવાદ થયો છે. આ વખતે, મામલો એક મહિલાના ગૌરવનો છે. પરિણામે, પોલીસે તેમની અટકાયત કરી છે. એક જૂથ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. બીજા જૂથનો દલીલ છે કે વડા પ્રધાન આટલી ઉદારતા બતાવી શકે છે અને પોતાના અને તેમના પરિવાર વિશેની વાંધાજનક ટિપ્પણીઓ માટે થોડા યુવાનોને માફ કરી શકે છે. તમિલનાડુની શાસક પાર્ટી, ટીવીકે અને રાજ્ય પોલીસ ત્રિશા કૃષ્ણન વિરુદ્ધ સ્ટાલિન જુનિયરની ટિપ્પણીઓ માટે કાર્યવાહી કરવાનું ટાળી શક્્યા હોત. રાજ્યમાં રાજકીય ઉથલપાથલ અટકાવીને તેમને ચેતવણી આપીને છોડી શકાયા હોત.