
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની રચના સાથે, ડીકે શિવકુમારે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, શિવકુમારે હાથમાં બંધારણની નકલ સાથે પદ અને ગુપ્તતાના શપથ લીધા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી. પરમેશ્વરે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બંને નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ, પક્ષના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેરળના મુખ્યમંત્રી સતીશન, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા. સિદ્ધારમૈયાએ ૨૮ મેના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ૩૦ મેના રોજ, બેંગલુરુમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી, જ્યાં તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ૨૮ મેના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા સિદ્ધારમૈયાએ તેમના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. તે સર્વાનુમતે પસાર થયું હતું, ત્યારબાદ શિવકુમારને આજે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓની યાદી જાઇએ તો ડી.કે. શિવકુમાર (મુખ્યમંત્રી) કર્ણાટકના ૧૮મા મુખ્યમંત્રી બન્યા. તેઓ વોક્કાલિગા સમુદાયના છે. તેમણે સિદ્ધારમૈયા સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ૨૦૨૦ થી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ છે.તેઓ ૧૯૮૯ થી એક પણ ચૂંટણી હાર્યા નથી.તેઓ ૧૯૮૯ થી ૨૦૦૮ સુધી સતનુરના ધારાસભ્ય હતા. તેઓ ૨૦૦૮ થી કનકપુરા મતવિસ્તારથી સતત ધારાસભ્ય રહ્યા છે.
જી. પરમેશ્વર (નાયબ મુખ્યમંત્રી) કર્ણાટકના સૌથી પ્રભાવશાળી દલિત નેતા. તેઓ સિદ્ધારમૈયા કેબિનેટમાં ગૃહમંત્રી હતા.તેઓ મધુગિરી અને કોરાટાગેરે મતવિસ્તારથી ઘણી વખત ધારાસભ્ય રહ્યા હતા.૨૦૧૮ માં કર્ણાટકના પ્રથમ દલિત નાયબ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૫ માં કર્ણાટકના ગૃહમંત્રી બન્યા. તેઓ ૨૦૧૦ થી ૨૦૧૮ સુધી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ હતા.
કે.એચ. મુનિયપ્પા, કર્ણાટકમાં એક વરિષ્ઠ દલિત નેતા તરીકે ઓળખાય છે.તેઓ સિદ્ધારમૈયા સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી હતા.,તેઓ ૧૯૯૧ થી ૨૦૧૯ સુધી સાત વખત સંસદમાં ચૂંટાયા હતા.તેઓ કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી અને સામાજિક ન્યાય મંત્રી હતા.
કે.જે. જ્યોર્જ,કર્ણાટક કોંગ્રેસના સૌથી અનુભવી નેતાઓમાંના એક.,તેઓ સિદ્ધારમૈયા સરકારમાં ઉર્જા મંત્રી હતા.તેઓ કર્ણાટકના ગૃહમંત્રી અને ઉર્જા મંત્રી હતા.તેઓ ૧૯૮૫ માં બેંગલુરુના સર્વજ્ઞ મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા.તેઓ ૨૦૨૩ થી રાજ્યના ઉર્જા મંત્રી છે.
એમ.બી. પાટીલ,કોંગ્રેસ પક્ષમાં એક અગ્રણી લિંગાયત વ્યકતીત્વ.,તેઓ સિદ્ધારમૈયા સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રી હતા.,તેઓ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી જળ સંસાધન અને ઉદ્યોગ મંત્રી હતા.,તેઓ ૨૦૦૮ માં બાબલેશ્વર મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા.તેઓ સતત ચાર ટર્મ સુધી બાબલેશ્વર મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહ્યા.લિંગાયત ધર્મને અલગ ધર્મ જાહેર કરવાની માંગણી કરવા બદલ તેઓ સમાચારમાં હતા.
રામલિંગા રેડ્ડી,તેઓ બીટીએમ લેઆઉટ મતવિસ્તારના ધારાસભ્ય છે.,તેઓ ૨૦૦૮ થી બીટીએમ લેઆઉટ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.,તેઓ બેંગલુરુ શહેરના અગ્રણી કોંગ્રેસ નેતાઓમાંના એક છે.તેઓ કર્ણાટકના ગૃહમંત્રી અને પરિવહન મંત્રી રહ્યા છે.,તેઓ હિન્દુ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગનો કાર્યભાર સંભાળી ચૂક્યાં છે.તેઓ પહેલી વાર ૧૯૮૯ માં જયનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.તેઓ ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૪ માં પણ આ જ બેઠક જીત્યા હતા.
સતીશ જરકીહોલી, સિદ્ધારમૈયા પછી અહિંદા રાજકારણમાં બીજા ક્રમના સૌથી અગ્રણી વ્યકતી.,તેઓ ૨૦૦૮ થી સતત બેલાગાવી જિલ્લાના યેમાકનમાર્ડી વિધાનસભા મતવિસ્તાર જીતી રહ્યા છે.બેલાગાવી જિલ્લાના સૌથી પ્રભાવશાળી દલિત નેતા.તેઓ કર્ણાટક કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હતા.
કૃષ્ણ બાયરે ગૌડા,સિદ્ધારમૈયા સરકારમાં મહેસૂલ મંત્રી હતા.,તેઓ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી કર્ણાટકના કૃષિ મંત્રી હતા. તેઓ ૨૦૦૮ થી સતત બધી વિધાનસભા ચૂંટણીઓ જીત્યા છે.તેઓ એક સારા પ્રદર્શનકાર અને દોષરહિત છબી ધરાવતા નેતા તરીકે જાણીતા છે.
પ્રિયંક ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના પુત્ર.,કર્ણાટક કોંગ્રેસના એક અગ્રણી યુવા દલિત વ્યકતી.તેઓ કલબુર્ગી જિલ્લાના ચિત્તાપુરથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા.તેઓ પર્યટન, આઇટી, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી હતા.
યુ.ટી. ખાદર,કર્ણાટક કોંગ્રેસના એક અગ્રણી મુસ્લીમ નેતા.તેઓ સિદ્ધારમૈયા સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ હતા. તેઓ ૨૦૦૭ માં મેંગલુરુથી પેટાચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેમણે ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૩ માં સતત વિધાનસભા ચૂંટણીઓ જીતી.તેઓ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી આરોગ્ય, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે સેવા આપી.તેઓ ૨૦૨૩ માં કર્ણાટક વિધાનસભાના સ્પીકર તરીકે નિયુક્ત થયા.
ડીકે શિવકુમારે ૧૯૮૦ ના દાયકાની શરૂઆતમાં વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૭૯ માં, જ્યારે દેવરાજ ઉર્સ અને તેમના સમર્થકો કોંગ્રેસ પાર્ટી છોડી ગયા, ત્યારે શિવકુમારે વિદ્યાર્થી નેતા તરીકે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને પાર્ટીમાં સફળતાપૂર્વક પોતાનું સ્થાન સ્થાપિત કર્યું. ૧૯૮૫ માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી પહેલા, કોંગ્રેસ સમર્થિત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ તેમને વિદ્યાર્થી ચૂંટણી ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. આ સમય દરમિયાન, ભાજપના નેતા અનંત કુમારે પણ તેમને તેમની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે ૧૯૮૫ માં સત્તાનુર મતવિસ્તારમાંથી પીઢ નેતા એચડી દેવગૌડા સામે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. ત્યારબાદ, ૧૯૮૯ માં, ૨૭ વર્ષની ઉંમરે, તેમણે તેમની પ્રથમ ચૂંટણી જીતી, મૈસુરુ જિલ્લાના સત્તાનુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા.