
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદૃેસર ખાણકામ પર ગંભીર ચિતા વ્યક્ત કરી છે, અને કહૃાું છે કે તેનાથી પર્યાવરણને ન ભરવાપાત્ર નુકસાન થઈ શકે છે. આ મુદ્દા પર કડક વલણ અપનાવતા, કોર્ટે અરવલ્લી પ્રદૃેશમાં ખાણકામ અને તેના સંબંધિત તમામ પાસાઓની વ્યાપક તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદૃેશ જેવા સંવેદૃનશીલ પ્રદૃેશમાં ગેરકાયદૃેસર ખાણકામ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ ગંભીર ખતરો છે.
કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્ર્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી કે. પરમેશ્ર્વરને ચાર અઠવાડિયામાં ખાણકામ સંબંધિત બાબતોમાં નિષ્ણાત પર્યાવરણવાદૃીઓ અને વૈજ્ઞાનિકોના નામોની ભલામણ કરીને ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દૃેશ આપ્યો હતો. આ સમિતિ સુપ્રીમ કોર્ટની દૃેખરેખ અને માર્ગદૃર્શન હેઠળ કાર્ય કરશે.
સુનાવણી દૃરમિયાન, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અરવલ્લી પ્રદૃેશના વિવિધ ભાગોમાં ગેરકાયદૃેસર ખાણકામ પ્રવૃત્તિઓ થઈ રહી છે. રાજસ્થાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં કોઈ ગેરકાયદૃેસર ખાણકામને મંજૂરી આપવામાં આવશે નહીં.
આ દૃરમિયાન, સુપ્રીમ કોર્ટે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની એકસમાન વ્યાખ્યા અંગેના ૨૦ નવેમ્બરના આદૃેશને સ્થગિત કરવાના પોતાના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે નવી વ્યાખ્યામાં ગંભીર અસ્પષ્ટતાઓ છે જેનો ઉકેલ લાવવાની જર છે.
ઉલ્લેખનીય છે કે ૨૦ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દિૃલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં નવી ખાણકામ લીઝ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નિષ્ણાત અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ લાદૃવામાં આવ્યો હતો. આ નિર્ણય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની એક સમિતિની ભલામણોના આધારે લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક અરવલ્લીનું સંરક્ષણ કરવાનો છે. અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ અને સંરક્ષણ અંગેના વધુ નિર્ણયો હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવનાર નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે લેવામાં આવશે.