
બિહાર સરકાર દ્વારા નોંધાયેલા મંદિરો અને મઠોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતી પરિષદે રાજ્યભરમાં ’સનાતન ધર્મ’ ને પ્રોત્સાહન આપવા માટે બધા જિલ્લાઓમાં સંયોજકોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ આ જાહેરાત કરી. તેમણે માહિતી આપી કે બિહાર રાજ્ય ધામક ટ્રસ્ટ પરિષદ ૩૮ સંયોજકોને નિયુક્ત કરશે જેઓ તેમના સંબંધિત વિસ્તારોમાં તમામ નોંધાયેલા મંદિરો અને મઠોના મુખ્ય પૂજારીઓ સાથે સંકલન કરશે. પરિષદમાં કુલ ૨,૪૯૯ મંદિરો અને મઠો નોંધાયેલા છે.
પરિષદના પ્રમુખ રણબીર નંદને જણાવ્યું હતું કે, પરિષદે રાજ્યભરમાં નોંધાયેલા મંદિરો અને મઠો સાથે સંકલન કરીને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે તમામ જિલ્લાઓમાં સંયોજકોને નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે દરેક જિલ્લા માટે સંયોજકની પસંદગી કરવાની પ્રક્રિયા એક કે બે દિવસમાં શરૂ થશે અને સંયોજકોની પસંદગી ફક્ત મહંતો (મુખ્ય પૂજારીઓ)માંથી જ કરવામાં આવશે.
બિહાર સરકારના કાયદા વિભાગ હેઠળ આવતી આ પરિષદ રાજ્યમાં નોંધાયેલા મંદિરો, મઠો અને ટ્રસ્ટોના મિલક્ત રેકોર્ડ જાળવે છે અને તેમની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખે છે. તેમણે કહ્યું, સંયોજકો એ પણ સુનિશ્ર્ચિત કરશે કે તેમના સંબંધિત જિલ્લાઓમાં બધા નોંધાયેલા મંદિરો અને મઠો દર મહિનાની પૂણમાના દિવસે ’સત્યનારાયણ કથા’ અને ’ભગવતી પૂજા’ કરે. તેઓ એ પણ સુનિશ્ર્ચિત કરશે કે બધા નોંધાયેલા મંદિરો અને મઠો આ બે પૂજાઓના મહત્વ વિશે લોકોમાં સંદેશ ફેલાવે.
નંદને કહ્યું કે લોકોને દર મહિને તેમના ઘરોમાં આ પૂજાઓ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. વધુમાં, સંયોજકો ખાતરી કરશે કે બધા નોંધાયેલા ધામક સ્થળો ’અખાડાઓ’ માટે તેમની સંસ્કૃતિનું પાલન કરવા માટે એક સમપત જગ્યા બનાવે. પરિષદના પ્રમુખે કહ્યું, અમારું માનવું છે કે મંદિરો અને મઠોએ સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સુધારણાના પગલાંમાં પણ ભાગ લેવો જોઈએ. આપણા તહેવારો, વિવિધ પૂજાઓ, મૂલ્યો અને સનાતન ધર્મના મહત્વને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે આ તહેવારો સંવાદિતા, ભક્તિ અને સમુદાય ભાગીદારીની જીવંત અભિવ્યક્તિ છે.
નંદને કહ્યું, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યના સૌથી મોટા તહેવાર છઠ પૂજાને યુનેસ્કો સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવવા માટે કામ કરી રહી છે. આપણા તહેવારો ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે. દિવાળી પછી આવતી છઠ પૂજા પણ આવો જ એક તહેવાર છે. સૂર્ય દેવને સમપત આ મહાન તહેવાર ખૂબ જ ખાસ છે. તેમણે ઉમેર્યું કે કાઉન્સિલ આગામી મહિનાઓમાં સનાતન ધર્મના પ્રચાર પર રાજગીરમાં આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવાની પણ તૈયારી કરી રહી છે.
કાઉન્સિલના પ્રમુખે કહ્યું, અમે એક ધામક કેલેન્ડર પણ બહાર પાડવાનો નિર્ણય લીધો છે, જે સનાતન ધર્મના તમામ તહેવારો, વિવિધ પૂજાઓ અને અન્ય ધામક પ્રવૃત્તિઓને પ્રકાશિત કરશે. તેમણે ઉમેર્યું કે આ કેલેન્ડરો રાજ્યભરના લોકોને રજિસ્ટર્ડ મંદિરો અને મઠો દ્વારા વિતરિત કરવામાં આવશે.