આ વર્ષે, અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન સુધી ચાલુ રહેશે

આ વર્ષે, પવિત્ર અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર સમાપ્ત થશે. આ યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યાત્રા પહેલા ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ‘પ્રથમ પૂજા’ ૨૯ જૂન, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે યોજાશે. યાત્રાની સત્તાવાર શરૂઆત પહેલાં આ પૂજાને એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ માનવામાં આવે છે.

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ અનુસાર, યાત્રા માટે નોંધણી ૧૫ એપ્રિલથી શરૂ થશે. ભક્તો આ તારીખથી તેમની યાત્રા માટે નોંધણી કરાવી શકશે. જાકે, સામાન્ય રીતે યાત્રાની નિર્ધારિત તારીખના થોડા દિવસો પહેલા અગાઉથી નોંધણી બંધ કરવામાં આવે છે, તેથી ભક્તોને અગાઉથી નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે. અમરનાથ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. અમરનાથ ગુફાને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ ગુફામાં દેવી પાર્વતીને “અમર કથા”, અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું.

એવું કહેવાય છે કે ત્યાં હાજર કબૂતરોની એક જાડીએ પણ આ સમય દરમિયાન વાર્તા સાંભળી હતી અને તેમને અમર માનવામાં આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ ગુફાની આસપાસ આ કબૂતરો જાવાનો દાવો કરે છે. દર વર્ષે, લાખો યાત્રાળુઓ આ યાત્રામાં ભાગ લે છે, ભગવાન શિવના દર્શન કરવા માટે મુશ્કેલ પરિસ્થિતિ સામનો કરે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓની અપેક્ષા છે. નોંધનીય છે કે ગયા વર્ષે, અમરનાથ યાત્રા સત્તાવાર રીતે ૩ જુલાઈના રોજ શરૂ થઈ હતી. તે સમયે યાત્રા ૩૮ દિવસ ચાલી હતી અને ૯ ઓગસ્ટ ૨૦૨૫ (રક્ષાબંધન દિવસે) સમાપ્ત થઈ હતી.