
સરકારે જીએસટી સંબંધિત વિવાદો માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવાની અંતિમ તારીખ એક મહિના વધારીને ૩૧ જુલાઈ, ૨૦૨૬ કરી હતી.જીએસટીએટીની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારબાદ, સરકારે જીએસટીએટીમાં અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન, ૨૦૨૬ નક્કી કરી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય વિવિધ હિસ્સેદારોની વિનંતીઓ બાદ લેવામાં આવ્યો છે, જેમણે જણાવ્યું હતું કે જીએસટીએટી પ્લેટફોર્મ અતિશય દબાણને કારણે અપીલ દાખલ કરવામાં તકનીકી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસમાં જ ૩૦,૦૦૦ અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જ દિવસમાં સૌથી વધુ ૫,૫૦૦ અપીલ દાખલ કરવામાં આવી હતી. મંત્રાલયે કરદાતાઓને સમયમર્યાદા સુધી રાહ ન જાવાની અને તેમની અપીલ તાત્કાલિક દાખલ કરવાની સલાહ આપી હતી. સરકારે અત્યાર સુધીમાં જીએસટીએટીની ૩૧ રાજ્ય બેન્ચ અને દિલ્હીમાં એક મુખ્ય બેન્ચને સૂચિત કરી છે. હાલમાં, અપીલ અધિકારી સમક્ષ ૪.૮૦ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, અને આ બધા જીએસટીએટીને રિફર કરવામાં આવે તેવી અપેક્ષા છે.
મે ૨૦૨૪ માં, સરકારે ન્યાયાધીશ (નિવૃત્ત) સંજય કુમાર મિશ્રાને જીએસટીએટીના મુખ્ય બેન્ચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. ૧ જુલાઈ, ૨૦૧૭ ના રોજ જીએસટી લાગુ થયા પછી, કરદાતાઓ અને જીએસટી વિભાગ વચ્ચેના તમામ વિવાદો હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ઉકેલાયા, જેના કારણે કેસોના નિરાકરણમાં વિલંબ થયો. સપ્ટેમ્બર ૨૦૨૫ માં જીએસટીએટી કાર્યરત થયા પછી વિવાદ નિવારણ પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે.
એએમઆરજી ગ્લોબલના મેનેજિંગ પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે આ સરકારનો નિર્ણય વ્યવહારિક છે અને જીએસટીએટી સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી કરદાતાઓના અપીલ કરવાના અધિકારનું રક્ષણ કરે છે. “વધારાનો સમય નોંધપાત્ર રાહત આપશે, પરંતુ કરદાતાઓએ સમયમર્યાદા સુધી રાહ જાવી જાઈએ નહીં,” તેમણે કહ્યું.કેપીએમજી ખાતે પરોક્ષ કરવેરા વિભાગના વડા અને ભાગીદાર અભિષેક જૈને જણાવ્યું હતું કે, “અપીલ દાખલ કરવાની સમયમર્યાદા લંબાવવાથી કરદાતાઓ અને વ્યાવસાયિકોને નવી જીએસટીએટી સિસ્ટમમાં અનુકૂલન સાધવા માટે પૂરતો સમય મળશે. આ સમય મર્યાદાને કારણે વાસ્તવિક અપીલોને નકારવામાં આવતી અટકાવશે અને જીએસટીએટી સિસ્ટમમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરશે.”