પંચમહાલ જિલ્લામાં ૧ જુનથી ૨,૭૫૫ બ્લોકમા વસ્તી ગણતરી શ કરવાની હતી. પરંતુ જિલ્લામાં ૧,૪૦૩ બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી શ નહિ થતાં ૪૫૪ સુપરવાઈઝરોની દેખરેખ પર સવાલો ઉઠ્યા છે. જોકે શિક્ષકો દ્વારા કામગીરી પુર્ણ થયા વધારાની કામગીરી તંત્ર દ્વારા ન સોંપવામાં આવે તે માટે ઓનલાઈન ડેટા અપલોડ ન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
પંચમહાલમાં સોમવાર તા.૧જુનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબકકાનો પ્રારંભ થયો હતો. જિલ્લાના ૭ તાલુકા અને ૪ નગરપાલિકા વિસ્તારને આવરીને ૨,૭૫૫ બ્લોક બનાવ્યા છે. જેમાં ૪૫૪ સુપરવાઈઝરોની નિમણુંક કરી છે. આ કામ ૩૦ જુન સુધી પુર્ણ કરવાની હોય છે. ૧૫ દિવસમાં જિલ્લામાં ૨,૭૫૫ બ્લોકમાંથી ફકત ૧,૩૩૬ બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી શ કરી છે. કારણ કે, જિલ્લામાં ૧,૪૦૩ બ્લોકમાં હજુ સુધી કોઈ કામગીરી શ કરવામાં આવી નથી. જિલ્લામાં ૨,૬૯૨ ગણતરીકારો હોવા છતાં ૧,૪૦૩ બ્લોકમાં કામગીરી શ ન થતાં કામગીરીમાં વિલંબ આવી શકે તેમ છે. એક બ્લોકમાં ૨૫૦ થી વધુ મકાન હોય છે. જિલ્લામાં ૧૬ બ્લોક એવા પણ છે જેની વસ્તી ગણતરીની કામગીરી સંપુર્ણપણે થઈ ગઈ છે.