ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં રૂપાંતર કરનારા આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિ દરજ્જા રદ કરવો જાઈએ,નિશિકાંત દુબે

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે કેન્દ્ર સરકારને ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ અપનાવનારા આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિ દરજ્જા રદ કરવા વિનંતી કરી હતી. તેમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઝારખંડમાં સીમાંકન આ ખાતરી કર્યા પછી જ થવું જાઈએ. દુબેએ તાજેતરના સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના ધર્મનું પાલન કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.

તેમણે કહ્યું, “ઝારખંડમાં ૨૦૦૧ પછી પણ સીમાંકન થયું ન હતું. તેનું કારણ એ હતું કે વસ્તી અસંતુલનને કારણે, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો ઓછી થઈ રહી હતી. ભવિષ્યમાં જ્યારે રાજ્યમાં સીમાંકન થશે, ત્યારે આ શ્રેણીઓ માટે અનામત બેઠકો ઘટશે.” તેમણે ઉમેર્યું, “સરકાર માંગ કરી રહી છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓનો આદિવાસી દરજ્જા રદ કરવામાં આવે. આ પછી, ઝારખંડમાં સીમાંકન હાથ ધરવામાં આવવું જાઈએ.”

જાકે સુપ્રીમ કોર્ટે ધાર્મિક પરિવર્તન અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દરજ્જા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક પરિવર્તન પછી વ્યક્તિનો એસસી દરજ્જા સમાપ્ત થાય છે, પરંતુ એસટીના કિસ્સામાં, ફક્ત ધાર્મિક પરિવર્તનને અંતિમ આધાર ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો કે હિન્દુઓ, શીખો અને બૌદ્ધ ધર્મ સિવાયના ધર્મ સાથે જાડાયેલા વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે જા કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અથવા અન્ય કોઈપણ ધર્મમાં ધર્માંતરણ કરે છે, તો તેઓ એસસી દરજ્જા દ્વારા આપવામાં આવતી કાનૂની સુરક્ષાનો દાવો કરી શકતા નથી.

જાકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અનુસૂચિત જનજાતિના કિસ્સામાં, ફક્ત ધાર્મિક પરિવર્તનના આધારે સભ્યપદ સમાપ્ત ન ગણી શકાય. એ ધ્યાનમાં લેવું જાઈએ કે વ્યક્તિ આદિવાસી ઓળખ, પરંપરાઓ અને સમુદાય સાથે જાડાયેલ રહે છે.