
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અયક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે સીધો સંબંધ ધરાવતા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રવિ પાકના વાવેતરની મોસમ શરૂ થતાંની સાથે જ રાજ્યમાં ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. આ ગંભીર બાબતને યાનમાં રાખીને કેબિનેટે ખાતર પુરવઠા અને વિતરણ વ્યવસ્થા પર વિશેષ ચર્ચા કરી હતી.
બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી વિવિધ પાકોની ખરીદી પ્રક્રિયાની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને વધુ સારી સુવિધા મળે અને ખરીદી કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે વધારાના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી કૃષિ પેકેજની અમલવારી અને તેનાથી ખેડૂતોને મળી રહેલા લાભની પણ કેબિનેટે સમીક્ષા કરી હતી. ખાસ કરીને રવિ પાક માટેની સહાય યોજનાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં આગામી સમયમાં યોજાનારી રાજ્ય સરકારની ચિંતન શિબિરની તૈયારીઓ અને તેના એજન્ડા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોના હિતને લગતા મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ખાતરની અછતનો પ્રશ્ર્ન તાત્કાલિક ધોરણે ઉકેલાય તે જરૂરી છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવે. આ બેઠકથી ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે કે રાજ્ય સરકાર તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે અને ટૂંક સમયમાં જ રાહત મળશે.