
૨૦૨૬ દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. રજત પાટીદાર ફરી એકવાર ટુર્નામેન્ટના ડિફેન્ડીંગ ચેમ્પિયનનું નેતૃત્વ કરશે. દરમિયાન, ટીમ ઈન્ડિયાના યુવા અને વિસ્ફોટક બેટ્સમેન, રિંકુ સિંહને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. સેન્ટ્રલ ઝોન આ વખતે ટાઇટલ પર નજર રાખશે. ગયા સિઝનમાં, ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં સાઉથ ઝોનને હરાવીને ટ્રોફી જીતી.
સેન્ટ્રલ ઝોન ટીમમાં બે અન્ય ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થાય છેઃ ડાબોડી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર હર્ષ દુબે અને ઝડપી બોલર યશ ઠાકુર. પાટીદારના મધ્યપ્રદેશના સાથી સરાંશ જૈન સ્પિન બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. સરાંશ જૈન શ્રીલંકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે. તેની સાથે હર્ષ દુબે અને ઉત્તર પ્રદેશના લેગ-સ્પિનર ઝીશાન અંસારી જોડાશે, જે તાજેતરમાં શ્રીલંકાના ઈન્ડિયા છ પ્રવાસ દરમિયાન પાંચ વર્ષ પછી રેડ-બોલ ફોર્મેટમાં પાછા ફર્યા છે.
અમન મોખડેને ૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેના કારણે તેને ઈન્ડિયા છ ટીમમાં સ્થાન મળ્યું હતું. વિદર્ભના આ ઓપનરે ૧૧ ઇનિંગ્સમાં ૭૬ ની સરેરાશથી ૭૬૦ રન બનાવ્યા હતા. મોખડેની સાથે, પસંદગીકારોએ છત્તીસગઢના ઓપનર આયુષ પાંડેનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે, જેણે તાજેતરમાં શ્રીલંકામાં ઈન્ડિયા એમાં ડેબ્યૂ કર્યું હતું. વિદર્ભના અન્ય એક બેટ્સમેન, યશ રાઠોડ, જે છેલ્લા બે સીઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, તે પાટીદાર સાથે મિડલ ઓર્ડરમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે, સેન્ટ્રલ ઝોન પ્રથમ રાઉન્ડમાં રમશે નહીં અને તેને સેમિફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમનો સેમિફાઇનલ મેચ ૩૦ ઓગસ્ટે યોજાશે, જ્યાં તેઓ પૂર્વ ઝોન અને ઉત્તર પૂર્વ ઝોન વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે. ટૂર્નામેન્ટ ૨૩ ઓગસ્ટના રોજ બેંગલુરુના ર્ઝ્રઈ મેદાન પર શરૂ થશે, ફાઇનલ મેચ ૬ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે.
દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોનની ટીમ રજત પાટીદાર (કેપ્ટન), આર્યન જુયાલ (વિકેટકીપર), સરંશ જૈન, અમન મોખાડે, કુણાલ ચંદેલા, ઝીશાન અંસારી, આર્યન પાંડે, અરશદ ખાન, રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), આયુષ પાંડે, યશ રાઠોડ, હર્ષ દુબે, કુણાલ સિંહ રાઠોડ (વિકેટકીપર), નાચિકેત ભુજ, નૈતિક સિંહ